________________
પ્રકરણ ૧ લું બાવીશ અભક્ષ્ય ઉપર ટુંક વિવેચન
૫પાંચ ઉદુમ્બર
૧ વડના ટેટાઓ ,
૨ પાસપીંપળા અને પીંપળની ટેટીઓ ૩ પ્લેક્ષ જાતના પીંપળાની ટેટીઓ
૪ ઉબર [ગુલર] ની પીપુ [ટેટીઓ] ( ૫ કચુંબર (કાલુંબર)નાં ફળ
એ પાંચેય વૃક્ષના ફળમાં ઘણું સૂક્ષ્મ ત્રસ જ ઉડતા જોવામાં આવતા હોય છે, જેની ગણત્રી થઈ શકતી નથી. માટે [ તેમ જ, તેમાં જીણા બીજા પણ ઘણા હોય છે.] તે સઘળા અભક્ષ્ય છે, તેથી તેને ત્યાગ કરે. દુષ્કાળ વિગેરે પ્રસંગે કદાચ અન્ન ન મળે, તે પણ વિવેકી પુરુષે એ ખાય જ નહિ. [બીજના ઘણું વનસ્પતિ ની અને તેમાં પડેલા બીજા ત્રસ જીવની, એમ બે પ્રકારના છની વિરાધના થાય. પીંપરની ટેટીએ પણ આ પ્રકારની સમજવી.]
* ફળમાં જેટલા બીજ તેટલા વનસ્પતિકાયના જીવ જાણવા. તે બધાની માત્ર અલ્પ સ્વાદ ખાતર હિંસા કરવી યુક્ત ગણાય ?