________________
[ ૧૩૪ ] પીચીજને સર્વથા ત્યાગ. ૨૦૦૫ થી ડાળાં, લીલાં મરી, મરવા પ્રમુખને સર્વથા ત્યાગ” તે પ્રમાણે આગળના વર્ષોમાં પણ યથાશક્તિ નિયમ કરે. જેથી જેના જે વખતે અમુક વખત પછી ત્યાગ કર્યાના ભાવ થવાથી તે જીવેને તે વખતથી અભયદાન દીધાનું ફળ મળી ચૂકે છે. આ પ્રમાણે નિયમ કરવાથી અનેક વનસ્પતિઓના જીવને અભયદાન આપ્યાનું ફળ મળે છે. અને જ્યાં સુધી નિયમ નથી કર્યો હતો
ત્યાં સુધી ન વાપરવાં છતાં કાંઈ ફળ મળતું નથી. અને હિંસાને દોષ લાગે છે.
વળી શ્રાવકે છ અઠાઈઓમાં વનસ્પતિને જરૂર ત્યાગ કરવો. તથા જઘન્યથી પાંચ પર્વ તિથિઓમાં શુકલ પંચમી, બે અષ્ટમી અને બે ચતુર્દશીમાં ઉત્કૃષ્ટ–બારપર્વ તિથિઓમાં એ બીજ, બે પાંચમ બે અષ્ટમી, બે અગ્યારશ, બે ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમામાં તથા મધ્યમથી સાત આઠ કે દશ
૧ ચૈત્ર તથા આસોની બે અઠાઈઓ શાશ્વતી છે, તે ચેર સુદ ૭ થી ૧૫ સુધી અને આસો સુદ ૭ થી ૧૫ સુધી જાણવી. - ત્રણ ચોમાસાની ત્રણ અઠાઈ. તે એક કાર્તિક સુદ ૭ થી ૧૫ સુધી, બીજી ફાગણ સુદ ૭ થી ૧૫ સુધી, અને ત્રીજી અપાઇ શુદ ૭ થી ૧૫ સુધી એમ અઠાઈ જાણવી. આ પર્યુષણ પર્વની અઠાઈ શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા શું ૪ સુધી. એમ છ અઠાઈ કહી છે તે તે દિવસમાં સચિત્તને ત્યાર નસ્પતિનો ત્યાગ, બ્રહ્મચર્ય, અમારિ, તપ, જિનપૂજા, ગુસ્વત વ્યાખ્યાનશ્રવણ, સામાયિક, પૌષધ, અતિથિસ વિભાગાદિક નિયમ અવશ્ય વિશેષે કરીને કરવા જોઈએ.