________________
[ ૧૧૭ ]
પ્રમુખની દેશી ચીની વાપરે છે, પણ આ કળિયુગમાં દગલબાજી બહુ થઈ છે, તેથી કેટલીક વખત દેશને નામે પરદેશી માલ રકમબંધ આકરા ભાવથી ખપે છે, અને જ્યાં દેશી બનાવે છે, ત્યાં પણ પશી ચીનીનું મિશ્રણ થાય છે.
કકસ કે શંકાપૂર્વક જાણવામાં આવે ત્યારથી તે ચીજ વાપરવી જ નહિ; નહિંતર નિયમ લઈને તેમાં દેષિત થવાય, માટે ૩પગ રાખે
૪૨. કેસર—આપણા દેશમાં કાશ્મીરમાં બહુ ઉત્તમ કેશર થાય છે. તેમજ પરદેશી પણ કેસર સારૂં આવે છે. બની શકે ત્યાં સુધી કારમીરી કેસર વાપરવું દરેક રીતે સર્વોત્તમ છે પરંતુ દેશી કેશરને નામે કઈપણ જાતના કતરણને એવા કેઈ રંગને પટ લગાવીને બનાવટી કેસર વેચનાર વેચે છે. અને તે રૂ. ૨) ના રતલથી માંડીને રૂ. ૧૦, ૧૫૨૦ સુધી રતલ મળે છે. માટે તે બાબત સાવચેત રહેવું. કેસરને સાચવવામાં
ખ્યાલ રાખ કેમકે તેને હવા લાગવાથી તેમાં ઝીણા જંતુઓ પડી જાય છે ને ઇંડાળ થઈ જાય છે.
૪૩. આખું કઠેળ–કેઈપણ જાતનું આખું કઠોળ ન ખાવું જોઈએ. દરેક કઠોળની દાળ કરીને ખાવી શ્રેષ્ઠ છે. કારણ કે આખા કઠોળમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે તે સાફ કરવા છતાં તે નીકળે નહિ, અને આપણી દષ્ટિ પણ પડે નહિ; તેથી જીવહિંસા થાય. માટે કઠોળની તુરત દાળ કરી નાંખવી, ને ખાવી. કઠોળ ઝાઝ વખત રહેવાથી તેમાં