________________
[ ૯૮ ] તથા, રાત્રિભેજનમાં-“ચઉવિહાર, તિવિહાર, દવિહાર એક માસમાં આટલા કરૂ” એવો નિયમ કરે.
રેગાદિક કારણે કઈ ઔષધિમાંની કઈ અભય ખાવી પડે, તેના નામ, વખત અને વજનથી જયણા રાખવી પડે. બત્રીશ અનંતકાયને સર્વથા નિષેધ છે. તે પણ રોગાદિક કારણે ઔષધોમાં લેવું પડે, તેની જયણા રાખે, તેથી અજાણ પણે કોઈ વસ્તુ મિશ્ર થઈ ખાવામાં આવે, તે વ્રતભંગ થાય નહિ. આગળ સર્વથા એટલે ગાદિક કારણે પણ ન લેવું, તેમ લખ્યું છે. તે ઉત્કૃષ્ટી હદવાળા માટે છે. માટે જેનાથી જેમ પળાય, તેમ યથાશક્તિ કરવું ઉચિત છે.
શ્રાવકે અદશનીને ઘેર કે નાતમાં જમવા જતાં ઘણે ઉપગ રાખવું જોઈએ, કારણ કે ત્યાં બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકામાંના કેટલાકને દેષ અવશ્ય લાગવા સંભવ છે, તેથી બને ત્યાં સુધી શેડો પરિચય રાખવે, તેમાં પણ દ્વાદશ વ્રતધારી તથા વિરતિવાળાએ તે તે સ્થળે જમવા જવું જ નહિ જોઇએ. કદાચ જવું પડે તે પૂરતી સંભાળ રાખવી.”
બાવીશ અભક્ષ્યનું જે વર્ણન આપ્યું છે. તે બરોબર સમજ મનન કરવું. તથા ભગવંતે તે નિષેધેલ છે, તેથી તેને ત્યાગ કરી પ્રભુની અખંડ આજ્ઞા પાળવી.
બંધુઓ ! આપણે નિત્ય પૂજા કરીએ છીએ, તે પહેલાં મસ્તકે આપણે પોતે જે તિલક કરીએ છીએ, તે એમ ચિંતન વિવારૂપ પણ છે, કે-“હે ભગવંત! આપની આજ્ઞા હું શિરે ચડાવું છું” તેવી રીતે નિત્ય ભગવંતની આણ મસ્તકે ચડા