________________
શાસ્ત્રીય વાત સામે દ્રવ્યસઋતિકાનો પાઠ ધરી દેનાર સંમેલનના સમર્થકો, શાસ્ત્રીયમાર્ગ પોતે ભૂલી રહયા છે અને અન્યને ભુલાવી રહયા છે એમાં કોઈ શંકા નથી. (૩) અને (4)
સંમેલનના સમર્થકો
સંબોધપ્રકરણના ત્રણ ભેદોના
આધારે જે દલીલ કરે છે તેનો વિચાર કરતા પહેલા તે સંબોધપ્રકરણની ગાથા અને તેના અર્થને જોઈએ ઃ
:
સંબોધપ્રકરણ :
“ચેબલ્લં તિવિદ્, પૂઆ-નિમ્મત-પ્પિયં તત્ત્વ । आयाणमाइ पूआदव्वं जिणदेहपरिभोगं ॥ १६३॥ अक्खयफलबलिवत्थाइसंतिअं जं पुणो दविणजायं । तं निम्मल्लं वुच्चइ, जिणगिहकम्मंमि उवओगं ॥ १६४ ॥ दव्वंतरनिम्मवियं निम्मल्लं पि हु विभुषणाइहिं । तं पुण जिणसंसग्गि, ठविज्ज णण्णत्थ तं भयणा ॥ १६५ ॥ रिद्धिजुअसम्मएर्हि सद्धेहिं अहव अप्पणा चेव । जिणभत्तीइ निमित्तं जं चरियं सव्वमुवओगि ॥ १६६ ॥ " અર્થ : “દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે :
૧ પૂજા દેવદ્રવ્ય, ૨ નિર્માલ્ય દેવદ્રવ્ય, ૩ કલ્પિત દેવદ્રવ્ય ૧ પૂજા દેવદ્રવ્ય : પૂજા દેવદ્રવ્ય તે આદાન (ભાડું) આદિ સ્વરૂપ ગણાય છે; તેનાથી પ્રાપ્ત થતી રકમનો ઉપયોગ જિનશ્વરદેવના દેહની સેવામાં થાય છે એટલે કે આ પૂજા દ્રવ્યનો ઉપયોગ કેસર, ચંદન વગેરે પ્રભુના અંગે ચઢતા પદાર્થો માટે વપરાય છે અંગપૂજાની જેમ અગ્રપૂજાના દ્રવ્યોમાં પણ આ પૂજાદ્રવ્યના ઉપયોગ થઈ શકે છે.
૨ નિર્માલ્ય દેવદ્રવ્ય : પ્રભુજીની આગળ ચડાવેલાં અક્ષત, ફળ, નૈવેદ્ય, વસ્ર વગેરેના વેચાણથી જે રકમ પ્રાપ્ત થાય તે
૧૭