SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ नयविंशिका-१० भेदः' इत्यादिशङ्का तु पूर्ववदेव निरसनीया । एवमेवोत्तरत्रापि । तथा तटः, तटी, तट... इत्यादयोऽप्यत्र दृष्टान्ता अनुसन्धेयाः । तथा संख्याभेदाद् 'आपोऽम्भ' इत्यत्र बहुत्वैकत्वसंख्ययोर्भेदादर्थभेदं शब्दनयः प्रतिजानीते । ये पुनरिहैवं वदन्ति यद् 'अत्र संख्याभेदेऽप्येक एव जलाख्योऽर्थः, संख्याभेदस्याभेदकत्वाद्, જેમ નિર્મૂળ કરવી. આ જ રીતે આગળ સંખ્યાભેદ વગેરેમાં પણ જાણવું. તથા તટ:, તટી, તરં વગેરે દૃષ્ટાન્તો પણ અહીં જાણવા. શબ્દનય, ઋજુસૂત્રનયની અપેક્ષાએ શુદ્ધતર વસ્તુને પોતાના વ્યવહારના વિષય તરીકે માને છે. અહીં “શુદ્ધતર’ એટલે – ઋજુસૂત્રનયની દૃષ્ટિ ક્ષણભેદ સુધી જ સીમિત છે, જ્યારે શબ્દનય લિંગભેદ વગેરે પણ જુએ છે. જેમ ગુજરાતી ભાષામાં છરો અને છરી. આ બન્ને સામાન્યથી છેદ કરવાના સાધન છે. તો પણ લિંગભેદ તો છે, કંઈક અર્થભેદ પણ છે જ. એ જ રીતે સંસ્કૃત ભાષામાં નદીકિનારાને જણાવવા માટે સામાન્યથી તટ’ એવા પુલિંગ અને નપુંસકલિંગ શબ્દનો પ્રયોગ થાય છે, તથા “તરી' એવા સ્ત્રીલિંગ શબ્દનો પ્રયોગ થાય છે. શબ્દનય આવા પ્રયોગસ્થળે લિંગભેદે અર્થભેદ માને છે... પણ ઋજુસૂત્રની દૃષ્ટિ ત્યાં સુધી પહોંચી શકતી નથી. શબ્દનય કહે છે કે “તટી' એટલે નાની નદીનો કોમળ કિનારો... તટ: એટલે મોટી નદીની રેતાળ કિનારો.... તરું એટલે ખાબડ-ખુબડ પથરાળ કિનારો... આવો કંઈક ધર્મભેદ નજરમાં હોય તો જ ભિન્નલિંગક શબ્દોનો પ્રયોગ થાય છે. વળી બીજી રીતે કહીએ તો ત્રણે લિંગ પરસ્પર વિરુદ્ધ છે. એટલે વિરુદ્ધધર્માધ્યાસ સ્પષ્ટ છે જ. એટલે જેમ વર્તમાનત્વ અતીતત્વ વગેરે વિરુદ્ધધર્માધ્યાસ હોવાથી વસ્તુભેદ છે તેમ લિંગભેદે પણ વિરુદ્ધધર્માધ્યાસ છે જ, પછી વસ્તુભેદ શા માટે નહીં ? વિરુદ્ધધર્માધ્યાસ એ જ તો ભેદનું લક્ષણ છે. એટલે વિરુદ્ધધર્માધ્યાસ હોવા છતાં જો અભેદ માનવાનો હોય તો વિરુદ્ધ ધર્માધ્યાસને છોડીને, ભેદનું બીજું તો કોઈ જ લક્ષણ ન હોવાથી અર્થાત્ એને છોડીને, વસ્તુઓમાં ભેદ કરનાર અન્ય તો કોઈ ભેદક તત્ત્વ ન હોવાથી, જગતમાં કોઈ વસ્તુ કોઈનાથી જુદી રહેશે જ નહીં, તેથી ભેદનું અસ્તિત્વ જ ન રહેવાથી વિશ્વમાંથી ભેદકથાનો જ લોપ થઈ જશે. તથા ‘ગાપોડા' અહીં વચનભેદે વસ્તુભેદ છે. આપ: બહુવચનાત્ત છે. ૩૫ એકવચનાત્ત છે. તેથી બહુત્વ-એકત્વ સંખ્યાનો ભેદ હોવાથી વસ્તુભેદ છે એમ શક્તય કહે છે. “ગુરુ-ગુરવ: અહીંની જેમ સંખ્યાલેદ એ વસ્તુનો ભેદક ન હોવાથી માપ:
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy