________________
नयविंशिका-४
अधुना नयविंशिकार्थं नयोपदेशग्रन्थस्य केचिदधिकारविशेषा द्विस्त्रिर्वाऽवलोकिताः । तदवलोकने च पञ्चमगाथाया वृत्तौ सम्मतितर्कप्रकरणस्य ' वंजणपज्जायस्स उ पुरुसो पुरुसो त निच्चमविअप्पो । बालाइविगप्पं पुण पासइ से अत्थपज्जाओ' ॥१-३४ ॥ त्ति गाथोद्धृता प्राप्ता । तद्व्याख्या चैवं कृता तत्र प्राप्ता - व्याख्या- व्यञ्जयति व्यनक्ति चार्थानिति व्यञ्जनं शब्द:, न पुनः शब्दनयस्तस्यर्जुसूत्रसमानपर्यायविषयत्वात् । तस्य पर्यायो वाच्यता... इति । दृष्ट्वा चैतद्वचनमुच्छलितोऽपूर्वः कोऽप्यानन्दो हृदये, यतोऽत्र 'शब्दनय' इत्यस्यार्थस्य सहेतुर्निषेधः, 'वाच्यता' इत्यस्यार्थस्य ग्रहणं च व्यक्तरूपेण कृतम् ।
सप्तभङ्गन्यास्तृतीयभङ्गो युगपदर्पणया 'स्यादवाच्य एव' । अत्र भङ्गे वस्त्ववस्त्वेवेति मे कल्पना । एतद्विस्तरः सप्तभङ्गीविंशिकायां मया प्रपञ्चितः । एतद्विषयिणी काचिच्चर्चा पि कैश्चिद्विद्वद्भिः सह सञ्जाता । तथाप्यत्र विषये मम त्ववस्तुत्वमेव प्रतिभांति । श्री अनुयोगद्वारसूत्रे आगमतो द्रव्यनिक्षेपप्रतिपादनावसरे नयविचारणा कृता । तत्र शब्दादीनामागमतो द्रव्यनिक्षेपासंमतिरेवमुक्ता - ' तिण्डं सद्दऩयाणं जाणए अणुवउत्ते अवत्थु, कम्हा ?
૪૪
હાલ નયવિંશિકા-પ્રસ્તુત ગ્રન્થ માટે ‘નયોપદેશ' ગ્રન્થના કેટલાક અધિકારો બે ત્રણ વાર જોયા. એ જોવામાં પાંચમી ગાથાની વૃત્તિમાં સમ્મતિતર્કપ્રકરણની (૧-૩૪) વંજણપાયસ્સ ઉ... ગાથા ઉદ્ધૃત જોવા મળી. ત્યાં ઉપાધ્યાયજી મહારાજે કરેલી એની આવી વ્યાખ્યા જોવા મળી જે અર્થોને વ્યક્ત કરે તે શબ્દ એ વ્યંજન છે, નહીં કે શબ્દનય, કારણ કે એનો તો ઋજુસૂત્રને સમાન પર્યાય એ વિષય છે. આવા વ્યંજનનો પર્યાય (એ વ્યંજનપર્યાય) = વાચ્યતા.” આ વચન જોઈને દિલમાં એક અપૂર્વ આનંદ ઉછળ્યો, કારણ કે અહીં ‘શબ્દનય' એવો અર્થ લેવાનો સહેતુ નિષેધ કરેલો છે અને વ્યંજનપર્યાય એટલે ‘વાચ્યતા' એવો અર્થ સ્પષ્ટ અક્ષરોમાં કરેલો છે.
-
મારી સ્ફુરણા અંગે આવી જ બીજી વાત જણાવું - સપ્તભંગીનો ત્રીજો ભંગ યુગપદ્ અર્પણાથી ‘સ્યાદવાચ્ય એવ' એવો મળે છે. આ ભંગમાં વસ્તુ ‘અવસ્તુ' જ દેખાય છે એવી મારી કલ્પના છે. એનો વિસ્તાર મેં સપ્તભંગીવિંશિકામાં કરેલો છે. આ અંગેની કેટલીક ચર્ચા પણ કેટલાક વિદ્વાનો સાથે થયેલી છે. છતાં મને તો ‘અવસ્તુત્વ’ જ ભાસે છે. શ્રી અનુયોગદ્વારસૂત્રમાં આગમથી દ્રવ્યનિક્ષેપનું પ્રતિપાદન કરતી વેળા નયવિચારણા કરેલી છે. ત્યાં શબ્દાદિનયોને આગમથી દ્રવ્યનિક્ષેપ માન્ય નથી, એ વાત આ રીતે કરેલી છે-“ત્રણ શબ્દનયોને જ્ઞાતા અનુપયુક્ત એ અવસ્તુ છે. શા માટે ? જો જ્ઞાતા છે, તો અનુપયુક્ત ન હોય, જો અનુપયુક્ત છે, તો જ્ઞાતા ન હોય. તેથી