________________
३०६
नयविंशिका-१७ कापिलं शुद्धद्रव्यास्तिकम् । बौद्धं शुद्धपर्यायास्तिकम् । शेषदर्शनानि शुद्धाशुद्धानि इति।
तत्र सांख्यो ध्रौव्यमेव प्रतिपन्नवान् । न विधिविगमौ । तस्य हि न किञ्चिदुत्पद्यते नापि विनश्यति । तदुक्तम् -
"असदकरणादुपादानग्रहणात् सर्वसंभवाभावात् । शक्तस्य शक्यकरणात् कारणभावाच्च सत् कार्यम् ॥" [साङ्ख्य० ९]
एवं पञ्चभिः हेतुभिः सत्कार्यवादः समर्थितः । तथाहि - यदसत् तन्न केनापि क्रियते यथा आकाशकुसुमम् । असच्च परमतेन कारणे कार्यमिति व्यापकविरुद्धोपलब्धिप्रसङ्गः। न चैवम्, तस्मात् सत् कारणे कार्यमिति । तथा, उपादानगतणादिति । उपादानं = कारणं तस्य नियतस्यैव ग्रहणम् । अन्यथा सर्वस्यैव अविद्यमानत्वाविशेषाद् ग्रहणं स्यात्,
છે કે-દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય.. બાકીના આ બેના વિકલ્પો=પ્રકારો છે. એમાં કાપિલદર્શન એ શુદ્ધદ્રવ્યાસ્તિક છે, બૌદ્ધદર્શન એ શુદ્ધ પર્યાયાસ્તિક છે અને બાકીના દર્શનો શુદ્ધાશુદ્ધ છે.
આમાં, સાંખ્ય ધ્રૌવ્યને જ માને છે, વિધિ(=ઉત્પાદ) કે વિગમ(=વિનાશ)ને એ માનતો નથી. એના મતે કશું જ ઉત્પન્ન થતું નથી કે કશું જ વિનાશ પામતું નથી. સાંખની ૯મી કારિકામાં કહ્યું જ છે કે - “અસતનું અકરણ, ઉપાદાનનું ગ્રહણ, સર્વસંભવનો અભાવ, શક્તનું શક્યકરણ અને કારણનો સદ્ભાવ. આ પાંચ હેતુઓથી કાર્ય સત્ હોવું સિદ્ધ થાય છે.”
આમ આ કારિકામાં પાંચ હેતુઓ દ્વારા સત્કાર્યવાદનું સમર્થન છે. આ પાંચ હેતુઓની સમજણ આવી જાણવી. (૧) અસતુનું અકરણ – જે અસતું હોય તે ક્યારેય કરાતું નથી, નહીંતર આકાશકુસુમ પણ કરાવું જોઈએ, પણ કરાતું નથી. માટે (સિદ્ધ થાય છે કે, તલ વગેરે દ્વારા તેલ વગેરે રૂપ જે કાર્ય કરાય છે તે પૂર્વે પણ કારણમાં સત્ = વિદ્યમાન હતું જ. પૂર્વપક્ષીના મતે કારણમાં કાર્ય અસતું છે. આમ વ્યાપક વિરુદ્ધોપલબ્ધિ નામનો દોષ આવી જ પડે છે. પણ આવું છે નહીં, માટે કારણમાં કાર્ય સત્ હોય છે. (૨) ઉપાદાનનું ગ્રહણ = નિયત-ચોક્કસ કારણનું જ ગ્રહણ. જો કારણમાં પૂર્વે કાર્ય સતું ન હોય, અસતું જ હોય, તો પુરુષો ચોક્કસ ઉપાદાનકારણનું ગ્રહણ ન કરત. અને તો પછી શાલિપ્રકારના ચોખાના અર્થી શાલિબીજનું ગ્રહણ કરે એવું ન રહેત, કોદ્રવબીજનું પણ ગ્રહણ કરત... કારણ કે બીજ તો શાલિનું હોય કે કોદ્રવનું... કાર્યભૂત શાલિનો તો બન્નેમાં અભાવ જ માનવાનો છે. એટલે બધામાં કાર્યની