SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ २७७ व्यवहारनयं प्रति सङ्ग्रहस्य तर्काः कारणत्वं कल्पनीयम् । इत्थञ्च सामान्यस्यैवार्थक्रियाकारित्वात् सामान्यमेवास्ति, न विशेषाः । ननु यदि सामान्यमेवार्थक्रियाकारि तदा रोगोपशमनार्थं यत्किमप्यौषधं प्रयोक्तव्यं, न त्वौषधविशेषः। न चैवं कोऽपि वैद्यः करोति, एकस्य रोगस्योपशमकस्याप्यौषधस्य तदन्यस्य रोगस्योत्तेजकत्वसम्भवादिति चेद् ? अहो विस्मरणशीलताऽऽयुष्मतो यत्स्वयं दत्तमपि तर्कं विस्मरसि। यथा घटध्वंसं प्रति घटोऽपि कारणं तथा रोगोपशमनं प्रति रोगोऽपि कारणम् । ततश्च रोगोऽप्यौषधस्य सहकारिकारणम् । 'घटोत्पादकाद् दण्डाद् घटनाशको दण्डो विलक्षण एव, अन्यथा कार्यवैलक्षण्यानुपपत्ते'रिति वदन्तमृजुसूत्रं भवता यस्तों दत्तः स एवात्र किमिति न स्मरसि ? कः स तर्कः ? अयं- दण्डेन घटोत्पादो भवतु घटनाशो वा, दण्डस्तु स एव, न तत्र कोऽपि विशेषः, केवलं सहकारिविशेषसन्निधाने तेन घटोत्पादः, तदन्यसन्निधाने च घटनाशः । प्रस्तुतैऽप्यौषधं तु तदेव, न तत्र कोऽपि विशेषः, केवलमेकस्य रोगविशेषस्य અંકુરોત્પાદની પહેલાં કુર્વકૂપત્વનો નિશ્ચય અસંભવિત હોવાથી તદર્થોની પ્રવૃત્તિ થઈ શકતી નથી, એ જ રીતે અંકુરવિશેષના ઉત્પાદ પૂર્વે બીજવિશેષની કારણતાનો નિશ્ચય અસંભવિત હોવાથી પ્રવૃત્તિ થઈ. જ નહીં શકે. (આશય એ છે કે અંકુરવિશેષ પ્રત્યે બીજવિશેષ કારણ છે કે અંકુંરસામાન્ય પ્રત્યે બીજસામાન્ય? આમાં પ્રથમકારણનો તો અંકર ઉત્પન્ન થાય એ પછી જ નિર્ણય થઈ શકે છે કે આ અંકુરા પ્રત્યે આ બીજ કારણ બન્યું એ પહેલાં નહીં, એટલે પ્રવૃત્તિ શી રીતે થાય ?) એટલે બીજવિશેષને કારણ કલ્પી શકાતું નથી. માટે અંકુર સામાન્ય પ્રત્યે બીજ સામાન્યને જ કારણ માનવું ઉચિત છે. એટલે સામાન્ય જ અર્થક્રિયાકારી હોવાથી એ જ સત્ છે, નહીં કે વિશેષ. - શંકા - જો સામાન્ય જ અર્થક્રિયાકારી હોય તો રોગ મટાડવા ઔષધરૂપે કોઈપણ ઔષધ વાપરવું જોઈએ, નહીં કે કોઈ ચોક્કસ ઔષધ જ. પણ આવું કોઈપણ વૈદ કરતો નથી. કારણ કે એક રોગનું ઉપશમન કરનાર ઔષધ પણ અન્ય રોગનું ઉત્તેજક બની શકે છે સમાધાન - અહો તમારી વિસ્મરણશીલતા ! જે ખુદ આપેલા તર્કને ભૂલી જાઓ છો. જેમ ઘટધ્વસ પ્રત્યે ઘડો પણ કારણ છે એમ રોગોપશમન પ્રત્યે રોગ પણ કારણ છે. તેથી રોગ પણ ઔષધનું સહકારી કારણ છે. “ઘટોત્પાદક દંડ કરતાં ઘટનાશક દંડ વિલક્ષણ જ છે, નહીંતર કાર્યમાં વિલક્ષણતા સંભવે નહીં.” આવું કહેનાર ઋજુસૂત્રનયને તમે જે તર્ક આપો છો એ તર્કને પ્રસ્તુતમાં કેમ યાદ કરતાં નથી ? એ કયો તર્ક છે ? આ-દંડથી ઘટોત્પાદ થાય કે ઘટનાશ, દંડ તો એ જ છે, એમાં કોઈ ફેરફાર નથી, માત્ર 19.
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy