SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ शब्दादीनां विषयः २५३ न घटः । तत्र वर्तमानकालतया वर्तमानक्षणमात्रं यो मन्यते स सूक्ष्मऋजुसूत्रः । यस्तु वर्तमानावलिका-मुहूर्त-दिनादीनपि वर्तमानकालतया स्वीकृत्य तत्तदावलिका-मुहूर्तादिकालभाविनं घटं स्वीकुरुते स स्थूलऋजुसूत्रः । यतोऽयं 'घट'पदवाच्यतया द्रव्यं स्वीकरोत्यतस्तस्य चत्वारोऽपि निक्षेपाः संमताः, नामघटादिष्वपि 'घट'पदवाच्यतायाः सत्त्वात् । शब्दादयस्तु त्रयोऽपि नयाः पर्यायार्थिकत्वात् 'घट'पदवाच्यतया घटनपर्यायं मन्यन्ते, न तु द्रव्यम् । नाम-स्थापना-द्रव्यघटेषु घटनपर्यायस्तु नास्त्येवेति तेषु घटपदवाच्यताया अभावात् पटादिष्विव न घटनिक्षेपत्वम् । ततश्च ते भावनिक्षेपमेव मन्यन्त इति स्थितम् । एवम्भूतनयो वर्तमानकाले यत्र घटनपर्यायो दृश्यते तमेव घटतया स्वीकुरुते। अर्थाद् यो योषिन्मस्तकारूढो भत्वा जलाहरणं करोति स एव तस्य घटः। अत्रापि यत्र घटनपर्याय इत्यादि यदुक्त तद्व्यघहारनयानुसारेण, अन्यथैवम्भूतनयस्य घटनपर्याय एव घटः, तदाधारभूतं द्रव्यं किञ्चिदपि नास्त्येवेति 'यत्र'आदिशब्दप्रयोगस्तस्यानुपपन्नः। कम्बुग्रीवादिमानपि यो वर्तमानकाले जलाहरणादिषु न व्यापृतः स घटनपर्यायाभावान्न घटः । વર્તમાન ક્ષણમાત્રને જુએ છે તે સૂક્ષ્મ ઋજુસૂત્ર છે અને જે નયપ્રકાર વર્તમાન આવલિકા-મુહૂર્ત-દિન વગેરેને પણ વર્તમાનકાળ તરીકે સ્વીકારીને તે તે આવલિકા-મુહૂર્ત વગેરે કાળમાં રહેનાર ઘટને સ્વીકારે છે તે સ્થૂલઋજુસૂત્ર છે. વળી આ નય “ઘટ'પદના વાચ્યાર્થ તરીકે દ્રવ્યને સ્વીકારે છે, માટે એને ચારે નિક્ષેપ માન્ય છે, કારણ કે નામઘટ વગેરેમાં પણ ઘટપદની વાચ્યતા રહેલી છે." શબ્દ વગેરે ત્રણે નયો પર્યાયાર્થિક હોવાથી ઘટપદના વાચ્યાર્થ તરીકે ઘટનપર્યાયને કહે છે, નહીં કે ઘટદ્રવ્યને. નામ-સ્થાપના-દ્રવ્યઘટમાં ઘટનપર્યાય તો હોતો નથી જ, માટે એ બધામાં ઘટ'પદવાચ્યતાનો અભાવ હોવાથી પટાદિની જેમ એ બધા પણ ઘટના નિક્ષેપ નથી. એટલે આ નયો માત્ર ભાવનિક્ષેપને જ માને છે એ નિશ્ચિત થયું. એવંભૂતનય વર્તમાનકાળે જ્યાં ઘટનપર્યાય જોવા મળે એને જ ઘડા તરીકે સ્વીકારે છે. એટલે કે જે સ્ત્રીને મસ્તારૂઢ થઈ જળાહરણ કરે એ એના મતે ઘટ છે. આમાં પણ જ્યાં ઘટનપર્યાય... વગેરે જે કહ્યું છે તે વ્યવહારનયાનુસારે જાણવું, નહીંતર એવંભૂતનયને તો ઘટનપર્યાય એ જ ઘટ હોવાથી એના આધારભૂત કશું ન હોવાના કારણે “જ્યાં' વગેરે શબ્દપ્રયોગો અસંગત છે. તથા કંબુગ્રીવાદિયુક્ત એવો પણ જે ઘડો વર્તમાનમાં જળાહરણાદિ નથી કરી રહ્યો તે આ નયના મતે, ઘટનપર્યાયનો અભાવ હોવાથી “ઘટ' નથી.
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy