SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ 'उत्पाद-व्यय-धौव्ययुक्तं सत्' इति लक्षण एव लाघवम् २०९ નનું સ ત્ર : પ્રશ્ન: ‘ત્પટૂિ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' રૂતિ સૂત્રનેતૃપાં શ્રીમતાमुमास्वातिवाचकवर्याणां भवता 'लाघवकुशलैः' इति विशेषणमुपात्तं, परन्त्वत्रैव सूत्रे लाघवं तु गुरूभूतमेव दृश्यते, 'नित्यानित्यं सत्' इति सूत्रप्रणयने लाघवात्, 'उत्पाद-व्यय-ध्रौव्य' इति त्रयाणां पदानां स्थाने 'नित्य-अनित्य' इति द्वयोरेव पदयोरुच्चार्यत्वादिति चेत् ? न, तत्रैव लाघवस्य गुरूभूतत्वात् । तथाहि - उत्पादादय आबाल-गोपालप्रसिद्धाः, पुनः पुनर्लोकव्यवहारे प्रयुज्यमानत्वात्। 'नित्यत्वं' तु न तथा, यस्य साक्षात् परम्परया वाऽल्पोऽपि शास्त्रपरिचयस्तेनैव क्वचित् कदाचित् सति प्रयोजने नित्यत्वस्य प्रतिपाद्यमानत्वात् । अत एव 'तद्भावाव्ययं नित्यं' (तत्त्वा. ५/३०) इति नित्यलक्षणं कृतवद्भिर्वाचकवर्यैः 'प्रागभावाप्रतियोगित्वे सति ध्वंसाप्रतियोगित्वं' इत्यादिरूपं नित्यलक्षणं कृतवद्भिश्चान्यैरपि न कुत्राप्युत्पादलक्षणं कृतं दृश्यते। ततश्च नित्यत्वकथनानन्तरं तल्लक्षणमपि कथनीयमेव स्यात्, तथा तत्कथनानन्तरं किं लक्षणं निर्दोषम् ? किं वा सदोषम् ? इत्यपि विचारणीयं स्यादेव, विविधानां नित्यलक्षणानां प्राप्यमाणत्वादिति दूरे लाघवस्य वार्ता, गौरवमेवापतितं स्यादिति । શંકા - અહીં સપ્રસંગ એક પ્રશ્ન છે. ઉત્પાદ્રિ-વ્યય-ધ્રૌવ્યયુવતું સત્ એ સૂત્રના પ્રણેતા શ્રીમાન્ ઉમાસ્વાતિવાચકવરનું તમે લાઘવકુશળ એવું વિશેષણ વાપર્યું છે. પરંતુ આ સૂત્રમાં લાઘવ તો ગૌરવ બની ગયેલું જણાય છે, કારણ કે નિત્યનિત્ય સત્ એવું સૂત્ર બનાવવામાં જ લાઘવ છે. તે પણ એટલા માટે કે એમાં ઉત્પાદાદિ ત્રણ પદના સ્થાને “નિત્ય” અને “અનિત્ય” એમ બે જ પદ કહેવાના રહે છે. સમાધાન - તમારી શંકા અસ્થાને છે. કારણ કે ખરેખર તો તમે કહો છો એવા સૂત્રમાં જ લાઘવ ગૌરવરૂપ બની રહે છે. તે આ રીતે-લોકવ્યવહારમાં વારંવાર બોલાતા હોવાથી ઉત્પાદ વગેરે તો આબાળગોપાળ પ્રસિદ્ધ છે. પણ નિત્યત્વ એવું નથી, કારણ કે જેને સાક્ષાત્ કે પરંપરાએ અલ્પપણ શાસ્ત્રપરિચય હોય તેવી જ વ્યક્તિ વડે ક્યાંક ક્યારેક એવા પ્રયોજને નિત્યત્વનો ઉલ્લેખ થાય છે. આ જ કારણ છે કે નિત્યનું તાવાર્થ નિત્ય એવું લક્ષણ કહેનાર વાચકવર શ્રીઉમાસ્વાતિ મહારાજે, કે પ્રાગભાવનો જે અપ્રતિયોગી હોય અને સાથે ધ્વસનો પણ અપ્રતિયોગી હોય તે નિત્ય.. આવું લક્ષણ કહેનાર અન્ય દર્શનીઓએ ક્યાંય ઉત્પાદનું લક્ષણ કહ્યું હોય એવું જોવા મળતું નથી. આમ નિત્યનું લક્ષણ જરૂરી છે, ઉત્પાદનું જરૂરી નથી. એ જણાવે છે કે ઉત્પાદ સામાન્ય લોકને પણ પરિચિત છે ને તેથી એમાં ઉપસ્થિતિકૃત લાઘવ છે. બાકી તો નિત્યત્વ જો કહ્યું હોય તો એ કહ્યા બાદ એનું લક્ષણ પણ કહેવું જ પડે, ને એ કહ્યા પછી કયું લક્ષણ નિર્દોષ છે ? કયું સદોષ છે ? એ પણ વિચારવું જ પડે, કારણ કે એના તો
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy