________________
२००
नयविंशिका-१४
नैगमस्योर्ध्वतासामान्यं विषयः, सङ्ग्रहस्य तिर्यक्सामान्य व्यवहारस्य च विशेषा इत्येतावता ग्रन्थेन सिद्धम् । अधुना प्रकृतं प्रस्तूयते । तच्च नयानां नैगम-सङ्ग्रहादिक्रमेणोपन्यासे हेतोर्विचारणम् । तत्र द्रव्यस्य प्रधानतया द्रव्यार्थिका पूर्वं न्यस्ताः पर्यायार्थिकास्तु पश्चादिति पूर्वं विचारितम् । द्रव्यार्थिकेष्वपि नैगमस्य किमिति प्राथम्यमिति विचारणायां तस्योर्ध्वतासामान्यं विषय इत्यादि निश्चितम् । ततश्च यतः स ऊर्ध्वतासामान्यविषयकोऽतस्तस्य द्रव्यार्थताया अन्यापेक्षया प्रबलत्वम् । अत एव च द्रव्यार्थिकेषु स प्रथमः । अयम्भाव:'उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सत्' इत्यत्र ध्रौव्यांशो द्रव्यलक्षणम् । ततश्च नयो यथा यथा ध्रुव-ध्रुवतरं वस्तु गृह्णाति तथा तथा तस्य द्रव्यार्थिकत्वं प्रबल-प्रबलतरम् । घटमेव घटतया यो गृह्णाति तस्य सङ्ग्रहनयस्यापेक्षया पिण्डादिकं कपालादिकं च यो घटतया गृह्णाति तस्य नैगमनयस्य ध्रुवतरविषयकत्वं स्पष्टमेवेति प्रबलतरद्रव्यार्थिकतया स प्रथमः ।
જ વ્યવહારનયને તિર્યસામાન્યના આશ્રયભૂત બધા વિશેષો અંગે થતી બુદ્ધિ એકાકાર બુદ્ધિ કહેવાય છે, જ્યારે ઊર્ધ્વતાસામાન્યના આશ્રયભૂત પિંડાદિ બધા વિશેષમાં થતી બુદ્ધિ અનુગતાકાર બુદ્ધિ કહેવાય છે, નહીં કે એકાકાર બુદ્ધિ.
આમ આટલા અધિકારથી એ સિદ્ધ થયું કે નગમનયન ઊર્ધ્વતા સામાન્ય, સંગ્રહનયનો તિર્યસામાન્ય અને વ્યવહારનયનો વિશેષ એ વિષય છે. હવે પ્રસ્તુતમાં આવીએ. અને એ છે નયોનો નૈગમ-સંગ્રહાદિ ક્રમે જે ઉપવાસ કર્યો છે તેના કારણની વિચારણા. એમાં દ્રવ્ય પ્રધાન હોવાથી દ્રવ્યાર્થિકનયો પહેલાં કહ્યા છે અને પર્યાયાર્થિક નયો પછી કહ્યા છે આ વાત પૂર્વે વિચારેલી છે. દ્રવ્યાર્થિક નયોમાં પણ નૈગમને કેમ પ્રથમ કહ્યો? એની વિચારણામાં આ નિશ્ચિત થઈ ચૂક્યું છે કે એનો વિષય ઊર્ધ્વતા સામાન્ય છે અને એનો વિષય ઊર્ધ્વતા સામાન્ય છે માટે જ અન્ય દ્રવ્યાર્થિકનયો કરતાં એની દ્રવ્યાર્થતા (= દ્રવ્યને પ્રાધાન્ય આપવાપણું)પ્રબળ છે ને માટે જ દ્રવ્યાર્થિકનયોમાં એને પ્રથમ મૂકવામાં આવ્યો છે. કહેવાનો ભાવ આ છે કે- તાદ્ર-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્... આમાં ધ્રૌવ્યાંશ એ દ્રવ્યનું લક્ષણ છે. એટલે નય જેમ જેમ ધ્રુવ-થુવતર વસ્તુને જુએ છે તેમ તેમ એ દ્રવ્ય તરફ વધુ ઢળતો હોવાથી એની દ્રવ્યાર્થિકતા પ્રબળ-પ્રબળતર બનતી જાય છે. જે ઘડાને જ ઘડા તરીકે જુએ છે એ સંગ્રહનય વિષયની અપેક્ષાએ, પિંડ વગેરેને તથા કપાલ વગેરેને પણ જે ઘડા તરીકે જુએ છે એ નૈગમનયનો વિષય ધ્રુવતર છે એ સ્પષ્ટ જ છે. ને તેથી નિગમનય પ્રબળતર દ્રવ્યાર્થિક હોવાથી પ્રથમ છે.