________________
नमस्कारोत्पादे कारणत्रिकम्
१५९ -संग्रहव्यवहारनयलक्षणं प्रथमनयत्रिकं समुत्थान-वाचना-लब्धिस्वरूपं त्रिविधं निमित्तमिच्छति' इति च तद्वृत्तिलेशः। नमस्कारमुत्पन्नं मन्यमानेषु शेषनयेषु सङ्ग्रहस्य ग्रहणमत्र भाष्यगाथा-वृत्त्योः स्पष्टमेव । तिर्यक्सामान्यग्राहिण:-सङ्ग्रहनयस्य तिर्यक्सामान्यप्रतिपक्षिविशेषग्राहित्वं त्वसम्भव्येव, तत्त्वहानिप्रसङ्गादिति नियुक्तिगाथावृत्तौ 'शेषाः = विशेषग्राहिणः' इति यद्व्याख्यातं तत्र विशेषतयोर्ध्वतासामान्यप्रतिपक्षी विशेषोऽभिप्रेत इति सिद्धम् । ननु सुहृद्भावेन पृच्छामि-अत्र शेषतया यथा सङ्ग्रहस्य ग्रहणं कृतं, तथा नैगमस्यापि कृतमेवेति सङ्ग्रहस्य ग्रहणाद्यथा तिर्यक्सामान्यप्रतिपक्षी विशेषोऽत्र नाभिप्रेतः, तथा भवदभिप्रायेण नैगमस्योर्ध्वतासामान्यग्राहितया तद्ग्रहणादूर्ध्वतासामान्यप्रतिपक्षी विशेषोऽप्यत्र नाभिप्रेत इत्यनिच्छतापि मन्तव्यमेवेत्यत्रोक्तविशेषतया भवता विशेषस्य कस्तृतीयः प्रकारः कल्पनीयः? अलमनया चिन्तया बन्धो! स्वस्थीभव, ऊर्ध्वतासामान्यप्रतिपक्षिणो विशेषस्यैवात्र ग्राह्यतया
નમસ્કારનું પ્રથમ ત્રણ નવો ત્રિવિધ કારણ માને છે, કારણ કે એના વિના આની= નમસ્કારની ઉત્પત્તિ નથી.” આ ભાષ્યગાથાની વૃત્તિનો આવશ્યક અંશ આવો છે- “આવું હોવાથી આ નમસ્કાર ઉત્પત્તિમાન હોવાના કારણે, અવિશુદ્ધનૈગમ-સંગ્રહ અને વ્યવહારરૂપ પહેલાં ત્રણ નયો સમુત્થાન-વાચના અને લબ્ધિસ્વરૂપ ત્રણ પ્રકારનું એનું કારણ માને છે.” નમસ્કારને ઉત્પન્ન માનનારા નયોમાં=શેષનયોમાં સંગ્રહનયનું ગ્રહણ આ ભાષ્ય ગાથામાં અને એની વૃત્તિમાં સ્પષ્ટ રીતે જણાય જ છે. (વળી આ શેષનયોને વિશેષગ્રાહી રૂપે પણ જણાવ્યા છે.) અને તિર્યસામાન્યગ્રાહી એવો સંગ્રહનય તિર્યસામાન્યના જ પ્રતિપક્ષી એવા વિશેષનો ગ્રાહક હોય એ તો સંભવતું જ નથી, કારણ કે તો પછી એ તિર્યક્સામાન્યગ્રાહી રહી જ ન શકવાથી સંગ્રહાયરૂપે પણ ન જ રહે. તેથી નિયુક્તિગાથાની વૃત્તિમાં શેષનય તરીકે વિશેષગ્રાહીનયો એમ જે વ્યાખ્યા કરી છે એમાં વિશેષરૂપે ઊર્ધ્વતા સામાન્ય પ્રતિપક્ષીવિશેષ જ અભિપ્રેત છે એ સિદ્ધ થાય જ છે.
પ્રશ્ન - મિત્રભાવે એક પ્રશ્ન પૂછું છું - અહીં “શેષ' તરીકે જેમ સંગ્રહનયનો સમાવેશ છે એમ નૈગમનયનો પણ સમાવેશ છે જ. એટલે સંગ્રહાયનું ગ્રહણ હોવાથી જેમ તિર્યસામાન્ય પ્રતિપક્ષી વિશેષ અહીં અભિપ્રેત નથી, તેમ તમારા અભિપ્રાય મુજબ નગમનય ઊર્ધ્વતાસામાન્યગ્રાહી હોવાથી, તેનું ગ્રહણ હોવાના કારણે ઊર્ધ્વતાસામાન્ય પ્રતિપક્ષી વિશેષ પણ અહીં અભિપ્રેત નથી એવું અનિચ્છાએ પણ માનવું જ પડશે. તેથી અહીં જે વિશેષ કહેલ છે એ વિશેષ તરીકે તમે વિશેષનો કયો ત્રીજો પ્રકાર