________________
नयविंशिका - १४
१५६
भवतापि कोऽपि हेतुर्नैव दत्त इति चेत् ? सत्यं, किन्तु न तत्र मम दोष:, प्रत्युत तवैव यद्धेतुदानार्थं ममावकाशमेव धीरो भूत्वा न ददासि । भवामि धीरः, ददाम्यवकाशं, देहि हेतुम् । शृणु - " तत्रादिनैगमस्य सामान्यमात्रावलम्बित्वात्, तस्य चोत्पाद-व्ययरहितत्वाद् नमस्कारस्यापि तदन्तर्गतत्वादनुत्पन्नः" इति प्रस्तुतनिर्युक्तिगाथावृत्तावुक्तम् । अत्र सामान्यमात्रावलम्बित्वकथनेन प्राप्यमाणो निषेध उत्पादव्यययोरुक्तः, न तु विशेषस्येति यत्सामान्यमुत्पाद-व्ययविरोधि तस्यात्र वार्तेति निश्चीयते । तत्तु सामान्यमूर्ध्वतासामान्यमेव, न तु तिर्यक्सामान्यं, तस्य विशेषविरोधित्वाद् । अत एव यत्र यत्र सङ्ग्रहनयस्य प्रतिपादनावसरतया तिर्यक्सामान्यरूपस्य सत्ताख्यमहासामान्यस्य कथनं शास्त्रेषूपलभ्यते, तत्र तत्र निषेधो विशेषस्यैवोपलभ्यते, न तूत्पादस्य व्ययस्य वा । यथा विशेषावश्यक भाष्य२२०६गाथावृत्तौ - एकं सामान्यं, सर्वत्र तस्यैव भावात् विशेषाणां चाभावादिति । तथा तत्रैव
પૂર્વપક્ષ - તો ‘પ્રસ્તુતમાં સત્તામહાસામાન્ય અર્થવાળો સત્તા શબ્દ નથી' આવું સ્વાભિપ્રેત સિદ્ધ કરવા માટે તમે પણ ક્યાં હેતુ આપ્યો છે ?
ઉત્તરપક્ષ - સાચી વાત. પણ એમાં વાંક મારો નહીં, તારો છે... કે જે તું ધીર બનીને મને હેતુ જણાવવાનો અવકાશ જ નથી આપતો.
પૂર્વપક્ષ ઉત્તરપક્ષ
લ્યો... ધીર બનુ છું... અવકાશ આપું છું... હેતુ જણાવો. સાંભળ... પ્રસ્તુત નિર્યુક્તિગાથાની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે “એમાં આદિનૈગમ સામાન્યમાત્રાવલંબી છે, અને સામાન્ય ઉત્પાદ-વ્યયંરહિત હોય છે. એટલે નમસ્કાર પણ સામાન્યમાં અન્તર્ગત હોવાથી અનુત્પન્ન છે.’’ આમાં સામાન્યમાત્રઅવલંબી એવું કહેવા દ્વારા મળતો નિષેધ ઉત્પાદ-વ્યયનો કહ્યો છે, પણ વિશેષનો નથી કહ્યો. એટલે જણાય છે કે અહીં, જે સામાન્ય ઉત્પાદ-વ્યયવિરોધી હોય એ સામાન્યની વાત છે અને એ સામાન્ય તો ઊર્ધ્વતાસામાન્ય જ છે, નહીં કે તિર્યક્સામાન્ય. કારણ કે તિર્યક્સામાન્ય તો વિશેષનું વિરોધી છે. એટલે જ્યાં જ્યાં સંગ્રહનયના પ્રતિપાદનનો અવસર હોવાના કારણે તિર્યક્સામાન્યરૂપ સત્તામહાસામાન્યની વાત શાસ્ત્રોમાં જોવા મળે છે ત્યાં ત્યાં નિષેધ વિશેષનો જ જોવા મળે છે, નહીં કે ઉત્પાદનો કે વ્યયનો. જેમકે વિશેષાવશ્યકભાષ્યની ૨૨૦૬મી ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે-એક સામાન્ય જ છે, કારણ કે સર્વત્ર એ જ હાજર હોય છે અને વિશેષોનો અભાવ હોય છે. તથા એ જ ગ્રન્થની ૨૨૦૭ મી ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે - તેથી બધું સત્તામાત્રસ્વરૂપ છે, એનાથી અલગ કશું નથી કે જેને ‘વિશેષ' તરીકે કહી શકાય.
-