________________
प्रस्थकाभिलाषप्राबल्ये वनस्थकाष्ठेऽपि प्रस्थकत्वदर्शनसम्भवः
१३३ स्वप्नेऽप्यसम्भवादिति चेत् ? सत्यं, तथापि प्रस्थकाभिलाषायाः प्राबल्ये तद्दर्शनस्य सम्भवात्। एतदुक्तं भवति-मृद्रव्यादन्तराऽन्तरोत्पद्यमानासु मृत्पिण्ड-शिवक-स्थास-कोशादिकासु कार्यकोटिषु निरपेक्षतया घटाभिलाषयुक्ततया च कुम्भकारो मृत्पिण्ड-शिवकादिविधानकालेऽपि मृत्पिंडं करोमी'त्यादिकं तु नैव संवेदयति, किन्तर्हि ? 'घटं करोमी'त्येव संवेदयति, मृत्पिंडादिकमपि घटतयैव संवेदयतीत्यर्थः । शिल्पकारोऽपि पाषाणे मूर्तिमेव साक्षात्करोति पूज्यभावं च प्रदर्शयति। तथैव प्रस्तुतेऽपि ज्ञेयम्। प्रस्थकाभिलाषायाः प्राबल्ये तत्र काष्ठत्वस्य प्रस्थककारणत्वस्य च संवेदनं विनैव साक्षात्प्रस्थकत्वसंवेदनं सम्भवतीत्यर्थः ।
अथ 'एगे आया' इति संग्रहनयस्यैव संमतं, 'क्षणिक आत्मा' इति ऋजुसूत्रस्यैव संमतं, नात्र मुख्यतया व्यवहारनयसंमतत्वमपि, तर्हि आकुट्टितनामनि प्रस्थके 'अयं प्रस्थकः' इति नैगमसंमते बोधै व्यवहारनयसंमतत्वमपि कथमिति चेत् ? सत्यं, अत एवैतद्विषयसाङ्कर्य
અતિવ્યવહિત અવસ્થારૂપ એ કાષ્ઠાદિને “પ્રસ્થક તરીકે જોવા એ સ્વપ્નમાં પણ સંભવિત નથી. ,
સમાધાન - સાચી વાત. છતાં જ્યારે પ્રસ્થકની પ્રબળ અભિલાષા હોય છે ત્યારે એ રીતે જોવું સંભવિત છે. કહેવાનો ભાવ એ છે કે માટીદ્રવ્યમાંથી વચ્ચે વચ્ચે ઉત્પન્ન થનાર પિંડ-શિવક-સ્થાસ-કોશાદિ કાર્યશ્રેણિની કુંભારને કોઈ અપેક્ષા હોતી નથી, એને તો ઘટની જ અભિલાષા હોય છે. માટે પિંડ-શિવક વગેરે બની રહ્યા હોય ત્યારે પણ “હું પિંડ બનાવું છું' એવું સંવેદન કરતો નથી, પણ “હું ઘડો બનાવું છું એવું જ સંવેદન કરે છે, અર્થાત્ પિંડ વગેરેને પણ “ઘડા' તરીકે જ એ સંવેદે છે. શિલ્પી પણ પાષાણમાં સાક્ષાત્ મૂર્તિને જ જુએ છે ને તદનુરૂપ પૂજ્યભાવ વ્યક્ત કરે છે. પ્રસ્તુતમાં પણ આવું જ જાણવું. પ્રસ્થકની અભિલાષા પ્રબળ હોય ત્યારે એ કાષ્ઠાદિને કાષ્ઠાદિ તરીકે કે પ્રસ્થકના કારણ તરીકે સંવેદ્યા વિના જ સાક્ષાત્ પ્રસ્થક તરીકે સંવેદન સંભવિત છે.
શંકા - ને માયા આ સંગ્રહનયને જ માન્ય છે. ક્ષણ માત્મા આ ઋજુસૂત્રનયને જ માન્ય છે. આ બન્ને બોધ વ્યવહારનયને મુખ્યરૂપે માન્ય નથી. તો પછી નામાંકિત પ્રસ્થક અંગે “આ પ્રસ્થક છે' એવો નૈગમનયમાન્ય બોધ વ્યવહારને પણ મુખ્યરૂપે માન્ય છે. એ શી રીતે ?
સમાધાન - સાચી વાત છે. એટલે જ આ એક જ બોધમાં બે નયની માન્યતાના સાંકર્યને વારવું.. વગેરે રૂપ કોઈક પ્રયોજનથી સ્યાદ્વાદરત્નાકરમાં નૈગમનયનું અન્ય લક્ષણ પણ આપ્યું છે. તે આ રીતે - અથવા નૈગમનયનું આવું લક્ષણ જાણવું. જયાં
10