SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઉપશમનાકરણ ભાગ-૧ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ કહ્યો છે. તેનો અર્થ એ છે કે અન્તર્મુહૂર્ત સુધી પ્રત્યેક સમયે એક સરખો સ્થિતબંધ થાય છે. ત્યાર પછી નવો સ્થિતબંધ શરૂ થાય છે. તે પૂર્વના સ્થિતિબંધ કરતા પલ્યોપમના સંખ્યામા ભાગ જેટલો ચૂત પ્રમાણવાળો હોય છે. તે પણ અાર્મુહૂર્ત સુધી ચાલે છે. એમ છેક સુધી સમજવુ પૂર્વભૂમિકામાં સ્થિતિબંધ દરેક અન્તર્મુહૂર્ત પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ચૂત થાય છે એમ કહ્યું છે ત્યાં પણ આ પ્રમાણે સમજવું. અશુભ પ્રકૃતિઓનો બે સ્થાનિક અને શુભ પ્રકૃતિઓનો ચાર સ્થાનિક રસ બંધાય છે. વળી ઉત્તરોત્તર સમયે અવગુણ વિશુદ્ધ હેવાથી રસબંધ પણ શુભળો અનંતગુણ વૃદ્ધિને પામતો અને અશુભનો અનંતગુણહત થાય છે. આ પ્રમાણે વિશુદ્ધિમાં આગળ વધતો જીવ યથાપ્રવૃત્તકરણના ચરમ સમય સુધી પહોંચે છે. યથાપ્રવૃત્તકરણના ચરમ સમય સુધી અભવ્યજીવો પણ આવે છે, એમ જે કહ્યું છે તેમાં એ સમજqનું છે કે વિશુદ્ધિની અપેક્ષાએ અભવનું યથાપ્રવૃત્તકરણ તથા ભવ્યતું યથાપ્રવૃત્તકરણ બંને તદ્દન ભિન્ન છે, કેમકે પૂર્વે સમ્યક્ત્વભિમુખ જીવની યથાપ્રવૃત્તકરણની અન્તર્મુહૂર્ત પૂર્વેની વિશુદ્ધ બતાવતા જણાવ્યુ છે કે ગ્રન્થ દેશે રહેલા અભવ્ય કરતા પણ અનંતગુણ વિશુદ્ધિ સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર જીવને ત્રણ કરણની પૂર્વાવસ્થામાં હોય છે અને ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુદ્ધિ વધતી જાય ચણાપ્રવાકર્ષણના અદgષારોની પ્રરૂપણા - યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે અસંખ્યલોકાકાશના આકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો શેર છે. પ્રશ્ન - એક સમયે એક જીવને એક જ અધ્યવસાય ોય છે, તો પછી યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે અસંખ્યલોકાકા પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો શી રીતે ? જાબ - એક જીવને એક સમયે એક જ અધ્યવસાય હોય છે. પરંતુ અહીં જે અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો કહ્યા છે. તે ત્રણે કાળને આશ્રયી થથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયવર્તી જીવોની અપેક્ષાએ કહ્યા છે. પણ - યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયને સ્પર્શવારા ત્રિકાળuત જીવો અનંતા છે, તો પછી અહીં અસંખ્યલોકાકા પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો શી રીતે ? અનંતા કેમ નહીં ? જાબ - જીવો અનંતા હોવા છતા અધ્યવસાયો અસંખ્યાતા હોવાનું કારણ એ છે કે અનંતા જીવોને સમાન અધ્યવસાય પ્રાપ્ત થાય છે. કોઈ પણ જીવને, જે અસંખ્યાત ૧. યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે જે સ્થિતિબંધ થાય છે તે ન્યૂન થતા થતા ચરમ સમયે યાવતું સંખ્યાત ગુણહીન સ્થિતિબંધ થાય છે, એમ લબ્ધિસારમાં કહ્યું છે - “માલિમરતા પર્વમવિશ્વ दु चरिमम्हि । संखेजगुणविहीणो ठिदिबन्धो होइ नियमेण ।।०॥" ।
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy