SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૩ (૧૯) પાઢણમાં ભરાતા મેળાઓ અને ઉત્સવો પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ગુજરાતની પ્રજા ઉત્સવપ્રિય ગણાય છે. મેળાઓ તમામ વર્ગના લોકો માટે સસ્તુ મનોરંજન છે. મેળા પ્રસંગે ખાનપાન, ઉજાણી, નાસ્તાપાણી, હિંડોળા, ઝુલા, ચગડોળ, રંગકીડા, રાસકીડા, આનંદ વિનોદ થાય છે. ક્યાંક ક્યાંક નાટક, રામલીલા, નૃત્ય, કાવ્યગોષ્ઠી, કુસ્તી, મલ્લના ખેલો, આટાપાટા, ડાયરાઓ વગેરે થતાં હોય છે. કોઇક મેળામાં આતશબાજી, ગાડાની દોડ, ધોડાદોડ, ઠઠ્ઠા યુદ્ધો, પતંગની હરિફાઈ વગેરે પણ યોજાતી હોય છે. મંદિરોમાં સ્તવનો, રાસ, ગરબા, વ્યાખ્યાનો, વ્રતની ઉજવણી વગેરે થાય છે. પાટણના લોકો પણ બાળકથી માંડી વૃદ્ધ બધા જ મેળાની મઝા માણે છે. પાટણમાં નીચે મુજબના મેળાઓ ભરાય છે. સૌ પ્રથમ મેળો પાટણમાં મીરાં દરવાજા પાસે આવેલ ઘુઘરા બાવાની જગ્યાએ અષાઢ વદ અમાસનો ભરાય છે. આ દિવસે દિવાસાનો ઉત્સવ’ હોય છે. આ પ્રથમ પર્વમાં સૌ પર્વનો વાસો કે માસો ગણાય છે. પહેલાં ખૂબ જ ધામધૂમથી ભરાતો આ પ્રથમ મેળો અત્યારે ખાસ ભરાતો નથી. આ દિવસે પાટણના પટ્ટણી (દેવીપૂજક) સમાજના ભાઇ-બહેનો તેમજ બહારગામના પટ્ટણીઓ પાટણમાં આવીને એમની માન્યતા મુજબ તેમના ગુજરી ગયેલા કૌટુંબિકજનોને યાદ કરી તેમની રીતે દિવાસાના ઉત્સવની ઉજવણી કરે છે. શ્રાવણ સુદ પાંચમના રોજ બગવાડા દરવાજા બહાર આવેલ પ્રાચીન બળીયા હનુમાનનો મેળો ભરાય છે. ત્યાં આવેલા મોટા મેદાનમાં અગાઉ ભવ્ય રીતે ભરાતો મેળો પણ છેલ્લા ઘણા વર્ષોથી વિસરાતો જાય છે. હાલમાં કદાચ ઉગતી પ્રજાને આ મેળાની ખબર પણ નહિ હોય. શ્રાવણ માસના બીજા શનિવારના રોજ ત્રણ દરવાજા પાસે આવેલ શ્રી મંડીના હનુમાનજી' અર્થાત્ કલ્યાણ મારૂતિનો મેળો ભરાય છે. જુના પાટણમાં આ જગ્યાએ મોટું માર્કેટ, મંડી, બજાર ભરાતું હોવું જોઈએ. જેથી આ મંડીના હનુમાન કહેવાતા હશે. થોડા વર્ષો પહેલાં આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. આરસથી જડાયેલ અને રંગરોગાનથી સુશોભિત આ મંદિરની ભવ્ય કલ્યાણ હનુમાનજીની પ્રતિમા દર્શન કરવા જેવી છે. મૂર્તિ નીચે એક શિલાલેખ છે. આ મેળો પણ ખાસ ભરાતો નથી. શ્રાવણ વદ પાંચમના રોજ પંચાસરા પાસે ભરાતો ‘નાગપંચમી” નો મેળો ભવ્ય રીતે ભરાય છે. આઝાદ મેદાનમાં વિરાટ ચગડોળો, ખાણી-પીણાના સ્ટોલ ગોઠવાય છે. પંચાસરા પાર્શ્વનાથના મંદિર પાસેજ “નાગદેવતા” ની પ્રતિમા પધરાવાય છે. નાગપૂજા ભારતમાં ઘણી પ્રાચીન હોવાનો વિદ્વાનોનો મત છે. નાગદેવતા એ નગરનું રક્ષણકર્તા છે. પાટણમાં સ્ત્રીઓ કુલેરનો લાડુ બાજરીનો
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy