________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૪
અધ્યાપકો અને અન્ય કર્મચારીગણે આ અવસર પોતાના પ્રાંગણમાં ઉજવાતો હોઇ જે આત્મિયતાથી આ મહોત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો તે નોંધપાત્ર છે. યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગના ઉદ્ઘોષક (માસ્ટર ઓફ સેરેમની) તરીકે આ ગ્રંથના લેખક મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિયે ફરજ બજાવી હતી, જે મારા અહોભાગ્યની વાત છે. આ બંને પ્રસંગો ઇતિહાસમાં સમાન ગણાશે. મેં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શુભારંભના સમારોહમાં સંતોકબા હૉલમાં વિશાળ જનમેદની સમક્ષ ‘માસ્ટર ઓફ સેરેમની” તરીકે કામ કર્યું હતું જે મારે માટે ખૂબજ ગૌરવવંતો પ્રસંગ હતો. એક કેળવણીકાર અને પાટણપ્રેમી તરીકે મારા માટે જીંદગીનો મહામૂલો લ્હાવો હતો.
શ્રી કુલિનચંદ્ર પી. યાજ્ઞિકની આવડ, મહેનત, ખંત, ખાંખત અને કુનેહથી જ પાટણમાં ઉ.ગુ.યુનિવર્સિટીનું નિર્માણ થયું એમ કહેવામાં અતિશયોકિત નથી.
Bay
1000
વિદ્યાપ્રેમી, સુસંસ્કારી અને સમર્થ રાજવી સિધ્ધરાજ જયસિંહે “સિઘ્ધહેમશબ્દાનુશાસન'' ગ્રંથની કાઢેલી શોભાયાત્રા
Hans
!! કોલ વિ