SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૯૬ પાટણનો ભરવાડ બન્યો દિલ્હીનો સુલતાન ડૉ. જયકુમાર ર. શુક્લ પૂર્વપ્રમુખ, ગુજરાત ઇતિહાસ પરિષદ અમદાવાદ, તેરમી-ચૌદમી સદીમાં ગુલામો ખરીદવામાં આવતા. તે ગુલામો પોતાની આવડત, હોંશિયારીથી અને માલિકની સેવા કરી, કૃપા મેળવીને આગળ વધ્યા હતા. તેમાંના કેટલાંક ગુલામો આગળ વધીને દિલ્હીના સુલતાનો પણ બન્યા હતા. કુબુદ્દીન અયબેક, ઇન્તુત્મિશ, બલબન વગેરે ગુલામ તરીકે ખરીદવામાં આવેલા અને તેમાંથી પ્રગતિ કરીને તેઓ દિલ્હીના સફળ સુલતાન બન્યા હતા. એવી રીતે યુદ્ધકેદી તરીકે પકડાયેલો પાટણનો હિંદુ, ભરવાડ, કેવી રીતે સુલતાન બન્યો હતો, તે જાણવું રસપ્રદ થશે. દિલ્હીના સુલતાનોમાં અલાઉદ્દીન ખલજી (ઇ.સ.૧૨૯૬-૧૩૧૬) સૌથી વધુ પરાક્રમી અને સાહસિક હતો. તેનામાં અગાધ શક્તિ હતી. પરંતુ તે સ્વાર્થી, જુલમી, કપટી અને ચારિત્રહીન હતો. તેના પાલકપિતા અને કાકા જલાલુદ્દીનનું કાસળ કાઢીને તે સુલતાન થયો હતો. અલાઉદ્દીન અભણ હતો. પરંતુ તે અરબી-ફારસી વિદ્વાનોને આશ્રય આપતો હતો. ફારસી સાહિત્યકારો અને શાથરો તેના દરબારનાં રત્નો હતા. ઈ.સ. ૧૩૦પમાં તેના લશ્કરે માળવા પર આક્રમણ કરી રાજા મહલકદેવને હરાવ્યો. ‘તારીખે મુબારકશાહીમાં યહ્યાબિનઅહમદ સરહિંદીએ જણાવ્યા પ્રમાણે તેના લશ્કરે ત્યાંથી પાટણના હિંદુ ભરવાડ કુટુંબને કબજામાં લીધું અને તે કુટુંબના બધા સભ્યોને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યો, તેમાંના નાની વયના દેખાવડા છોકરાને હસન નામ આપ્યું. હસનને અલાઉદ્દીનના અંગત ગુલામ તરીકે રાખવામાં આવ્યો. તેથી તેની પરવરિશ રાજમહેલમાં થઇ. અલાઉદ્દીન વિશ્વાસઘાત કરી, લોહિયાળ હાથો વડે સુલતાન થર્યો હતો. તેની પાસેથી વેરની વસૂલાત કરવાનું કુદરતે છોડવું નહિ. તેના જલોદરના રોગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ૧૩૧૬માં તે ગુજરી ગયો. તે વખતે તખ્ત મેળવવા આંતરવિગ્રહ થાય એવી પરિસ્થિતિ પેદા થઈ હતી. તેથી બીજે જ દિવસે તેના અમીર મલેક નાયબ કાફૂરે એક બનાવટી વસિયતનામું રજૂ કરીને, તેના સાત વર્ષના સગીર પુત્ર શિહાબુદ્દીન ઉમરને સુલતાન તરીકે જાહેર કર્યો. તે પોતે તેનો વાલી બની, સ્વેચ્છાચારી શાસન કરવા માંડયું. પોતાનું સ્થાન મજબૂત કરવા તેણે ઉમરખાનની માતા જે દેવગિરિના રાજા રામચંદ્રની દીકરી હતી, તેની સાથે મલેક કાફૂરે શાદી કરી. તેણે શાહજાદાઓ ખિઝરખાન અને શાદીખાનની આંખો કઢાવી લઈ તેમને અંધ બનાવ્યા. તેણે શાહજાદા મુબારકખાનને જેલમાં પૂર્યો અને તેની કતલ કરવા સૈનિકો મોકલ્યા. પરંતુ મુબારકખાને લાંચ આપીને, તેઓને પોતાના પક્ષે કરી લીધા. તે જ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy