________________
યુગે યુગે પાટણની પ્રભુતા
પણ અણહિલપુરનું ગૌરવ તો તેનું સહસ્રલિંગ તળાવ હતું. તેનું વર્ણન આગળ જોઇશું. પાટણનો વિસ્તાર સૂચવવા દ્દયાશ્રય કહે છે કે હનુમાનના જાનુ લંકામાં કૂદતાં થાક્યા નહિ, તે અહીં પાટણમાં જો કૂદવા આવે તો થાકી જાય !
હેમચંદ્ર પાટણના વિદ્યામઠોનું, તેના નાગરિકોનું, તેના ધર્મસંપ્રદાયોનું, તેની સુંદરીઓનું અને પુરંધીઓનું વ્યાકરણની કિલષ્ટ પરિભાષામાં છતાં વસ્તુસ્થિતિનો ખ્યાલ આપે તેવું વર્ણન કરે છે. તેના નાગરિકો મીઠી જબાનના જ નહિ પણ સર્વ કલ્યાણની ભાવનાવાળા હતા. ગૃહ શબ્દ ઉપર શ્લેષ કરી હેમચંદ્ર પાટણનું ગૃહ જીવન એક શ્લોકમાં વર્ણવે છે. एभिर्नयनयो प्रीतिरेषां श्रीरेम्य उत्सवः ।
३७२
एषु धर्म इति श्रीमदृहान् को नास्य वर्णयेत् ॥
એમને જોઇને નયનો આનંદ પામે, લક્ષ્મી પણ એમની જ, ઉત્સવ પણ એમનાથી, અને ધર્મ · પણ એમનામાં - એ જોઇ આ પુરનાં શ્રીમગૃહો - અને શ્રીમતી ગૃહિણીઓનું કોણ વર્ણન ન કરે ? सरुपयुक्ताः सद्माग्रे राजन्त्यत्र कुलस्त्रियः ।
व्यज्जनाग्रे पञ्चमान्तस्थावद्वालोपशोभिताः ॥
બાળકોથી ઉપશોભિત કુલસ્ત્રીઓ અહીંઆ સમાનરૂપ ભર્તુઓ જોડે-સજોડે-વિરાજે છે. કલાઓ જાણનારી નારીઓનો પણ ઉલ્લેખ છે, અત્ર નાર્ય તાવોહ્રયઃ । કલાઓમાં ટીકાકાર ગીતનૃત્યાદિ ૬૪ કલાઓ જણાવે છે.
કીર્તિકૌમુદી : વિગતો
સૈકા પછીના સોમેશ્વરના અણહિલપુરના વર્ણનને વિગતથી જોઇએ
હવેલીઓની ચન્દ્રશાલામાં સંધ્યાકાળે ખેલતી બાલાઓના મુખ સૌંદર્યથી નભસ્તલ શતચન્દ્રવાળું હોય એમ શોભે છે.
चन्द्रशालासु बालानां खेलन्तीनां निशामुखे । यत्र वक्त्रश्रिया भान्ति शतचन्द्रं नमस्तलम् ॥
:
એ નગરની વાચાલતા આમ વર્ણવે છે ઃ ક્યાંક શ્રુતિઓના નિર્ધોષથી, ક્યાંક મંગલ ગીતોથી, ક્યાંક બન્ધિજનોના કોલાહલથી જે નગર સદા વાચાળ છે.
कुत्रापि श्रुतिनिर्घोषैः कचिन्मङ्गलगीतिभिः । बन्दिकोलाहलैः कापि यत्सदा मुखरं पुरम् ॥
જ્યાં હવેલીઓની હાર ચૂનાથી ધોળાયેલી, તુષારથી ભૂષિત થઇ હોય એવી અને રૂપાથી જ જાણે મઢેલી, શોભે છે :
धौतेव सुधया यत्र तुषारेणेव भूमिता । रचिता रजतेनैव राजते सौधपद्धतिः ॥
ભવ્ય શિવાલયોને ઉદ્દેશીને -