________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૧૧
સિદ્ધરાજના સમકાલીન હેમચંદ્રાચાર્યે વડનગર પ્રકાર પ્રશસ્તિ લખનાર સિધ્ધરાજ મિત્ર કવિ શ્રીપાલે જૂનાગઢ ઉપરની ચડાઇની નોંધ કરી નથી. પણ સિધ્ધરાજના સમયના વિ.સ.૧૧૯૬ ના દોહદ (પંચમહાલ) ના લેખમાં સોરઠના રાજાને કેદમાં નાંખ્યાનું સ્પષ્ટ કથન છે.
श्री जयसिंहदेवोस्ति भूपो गुर्जरमंडले ।
येन कारागृहे क्षिप्तौ सुराष्ट्रमालवेश्वरौ ॥५ | સિધ્ધરાજ જયસિંહના સેનાપતિ ચોકીદાર દ્વારપાળ કહેવાતો શ્રી જગદેવ પરમારનો ઉલ્લેખ પણ આ રીતે મળે છે.
विना जगदेव भिमाभवस्थां नीता निजैरैव परैरिवाहम
चित्र स्थिते वेत्रिळि शङ्कितैर्न द्विष्टैः प्रविष्ट पुरि गूर्जराळाम् ॥९ સિધ્ધરાજ દ્વારા જિનમંદિરો પર ચઢાવેલા સોનાના કલશોનો ઉલ્લેખ
जेळ जयसिंहरायं भळिऊगं तरस मंडले स्यले
जिनमंदिरेसु कलसा-यडाविया स (रु) इर - कळथमया ॥ પાટણમાં વસતા વિશાળ માનવ સમુદાયનું આલેખન દેશીઓમાં મળે છે.
'સાંકઈ સાથિ શોહ૮ઈ શક્યાં, કર્મસંયોગિઈ ભૂલાં પડ્યાં રોતી ઠવઠતી સા તારિ, પુહાતે ભૂપતિ ભવન મોઝારી સ્વામિ નામે રાણો એહ, ઠાબિઈ આંખઈ કાણો તેહ, એકઈ ઇંઘાણે મુખ ભરતાર, રાય કરો મુમતી સાર, રાઈ વેગઈ વજાવ્યો, રાણા કાણા આવી ચઢો, રાણા કાણા ઠાધિ આંખે, નવસઈ નવાતું ભાખિ,
મલ્યા એકઠા, તૃપ ઇરબાર, પઈ છેઠાવી તા તારિષ્ઠ રમુજી પ્રસંગમાં વસતિની ગીચતા આલેખાઈ છે. રાણા નામનો ડાબી આંખે કાણો પરદેશી અને તેની પત્નીને બજારમાં એકબીજાથી છુટા પડી જાય છે. પત્ની રાજા પાસે જઈને પોતાનો પતિ ખોવાયો હોઇની ફરિયાદ કરે છે. અને રાજા ડાબી આંખે કાણા અને રાણા નામના માણસોને ભેગા કરે છે. હાસ્યરસનું નિરૂપણ અહીં પ્રગટે છે.
હરિજનોમાં યજમાન વૃતિ કરતા બ્રાહ્મણ, ભાટ તરીકે વહીવંચાઓએ વંશપરંપરાગત કંઠસ્થ જાળવી રાખેલ, માયાના બલિદાનનો અહેવાલ, સહસ્ત્રલિંગમાંના નરમેઘનો સંપૂર્ણ ઇતિહાસ જેમાંથી મળે છે. તે માયાવેલ', જે માયાના બલિદાનની વીરગાથા વર્ણવે છે.
સંવત અગિયાર એકાવ, પાટણપુર મોકાર રાજ કરે સઘરાજજી, સોલંકી સરદાર કરણદેવરો દીકરો, મીનળદેવી તીજ માત