________________
યુગે યુગે પાટણની પ્રભુતા
ઘેલા રાજા ઘેલું ન બોલ કેઠોતો લંક લોઢે જઠ્યો જસમા માટી થોઠી રે લે, પાળે રૂએ તારા છોકરા પાણું બાણું આંબલિયાતી ઠાળ, આવતા જતા તાજું હીંચકા કિયા તારા દિયર તે જેઠ, કિયોરે જસમા તારો ઘર ઘણી ? સોના કેરો કોઠાળો હાથ, લાલ પૂંજીતી વાળી માતઠી એ એના દિયરને જેઠ, એ રે રાજા એતો ઘર ઘણી માર્યા જસમાના દિયર તે જેઠ, માર્યો જસમાતો ઘર ઘણી અઘ લાખ માર્યા રે ઓઠ, સવાલાખ મારી રે ઓઠણી
૩૦૪
રાજા ઓડોનો વધ કરાતાં જસમા એ બધાને સહિયારો અગ્નિ દાહ આપે છે. એની ઊંચે જતી જવાળાઓમાં આકાશમાં ઊડતા પંખી પણ બળતા હતા. જસમા રાજાને ઉપર ઊડતી સોનાની સમડી જોવાનું કહે છે રાજા ઉપર જોતાં તરત આગમાં કુદી પડી અને રાજાને વાંજિયા પણાનો શાપ આપ્યો. પ્રદેશે પ્રદેશે આ રાસડો ગવાતો હોય પાઠાંતરો ભળે છે. ક્યાંક આ રાસડાનો અંત એવો આવે છે કે તળાવમાં પાણી નહીં રહે એવો જસમા શાપ આપે છે. બાકીની ઘટના એક જ જેવી મળે છે.
બીજા એક રાસડામાં જસમાના શાપથી વાંઝિયા રહેલા રાજની વ્યથા આ રીતે આલેખાઇ છે.
સઘા તે જેસંગને પૂછે એતી રાણી જો વાંઝિયાના માલ ક્યાં ક્યાં વાપર્યા હો જી ! સિધ્ધપુર જઇને રાણે રૂદ્રમાળ બંઘાવ્યો જો તોય તં પે પુતર અવતર્યો હો જી !..સઘા... ઘોળકે જઇને ૨ાણે મલાવ ગળાવ્યાં જો ત્રણસે તે સાઠ બાંધ્યા પાવઠાં હો જી પાવઠઠે પાલઠે પૂતળિયું મેલાવી જો તોય ન પેટ પુતર અવતર્યો હો જી !..સઘા... વીરુ ગામ જઇને ૨ાણે મુતસર મળાવ્યાં જો હેરિયું મેલાવી ત્રણસે સાઠ રે હો જી દેષ્ઠીએ દેરડીએ ડોકરિયું બંઘાવી જો તોય ન પે પુતર અવતર્યો હો જી!..સઘા...૧૮
ગીતમાં આગળ રાજા વઢવાણની માધાવાવ ગળાવે છે. શિહોરમાં બ્રહ્મકુંડ ગળાવે છે. તેમ છતાં દીકરો તો નહીં પણ દીકરીએ ન આવી તેવા ઉલ્લેખ ગીતને અંતે મળે છે.
આવાજ એક બીજા કથાગીતમાં સિધ્ધરાજ સાથે રાણકદેવીની કથા સંકળાઇ છે આમ તો રા' ખેંગાર અને સિધ્ધરાજ સમયવયસ્ક ન હતા. એમની વચ્ચેની યુધ્ધની કથાને ઐતિહાસિક પ્રમાણનો