________________
૨૩૭
યુગે યુગે પાટણની પ્રભુતા ખોટું છે, અને તેથી કરીને તે લજવાઈ ને દૂર ભાગી ગયો છે. जत्थ रमणीण.
..વંતિ ૪૪ | જ્યાંની રમણીઓનું રમણીય રૂપ પેખીને દેવાંગનાઓ લાજે છે અને ચિંતાના મારી કેમે નિદ્રા પામતી નત્યિ.
સોમેશ્વરદેવવિરચિત કીર્તિકૌમુદી (સોમેશ્વરદેવ ધોળકાના રાણા લવણપ્રસાદ વીરધવલ ઇ.ના પુરોહિત હતા, અને એણે આ મહાકાવ્ય રાણાના પ્રખ્યાત વાણિયા પ્રધાન વસ્તુપાળ તેજપાળને ઉદ્દેશીને લખ્યું છે. સોમેશ્વરદેવ વિક્રમના તેરમા શતકના ઉત્તરાર્ધમાં થઇ ગયા.)
શક્તિ..................................શિવામિદ | ૨-૪૮ છે. જેની ભાગોળ હાથીના મદથી ભીની છે, અને જે ઇરલોકમાં લક્ષ્મીનું પરમધામ છે એવું અણહિલ્લપુર નામે નગર છે. कृतहारानुकारणे.
.... વિ . ૪૬ | જેને ફરતો હારના જેવો ગઢ શોભે છે એ, નગરની કલિયુગથી રક્ષા કરવાને સારું નગરનું પુણ્ય જ જાણે કેમ તેની ચારે દિશાએ ફરી વળીને પહેરો ન ભરતું હોય એવો, લાગે છે. નેનોન્ના.....
...પ્રતિમાને છે ૧૦ | જે નગરને સમીપે અનેક વૃક્ષ છવાયેલી ફૂલવાડીઓની શ્રેણી છે તે, ઉંચા કોટની છાયા જાણે ન પડતી હોય એવી ભાસે છે. चन्द्रशालासु.
....નમસ્તનમ્ વશ . 'જ્યાં સંધ્યાકાળે બાળાઓ અગાશીમાં રમે છે તેના મુખની કાન્તિને લીધે જાણે આકાશમાં શતાવધિ ચન્દ્ર કેમ ન ઊગ્યા હોય એમ જણાય છે. ત્રાપિ..
••••••પુરમ્ | ૨ | જે નગરમાં ક્યાંક વેદોચ્ચાર થાય છે, ક્યાંક મંગળગીત ગવાય છે ને ક્યાંક બન્ટિજન બોલે છે, એને લીધે તે સદાય ગાજતું લાગે છે. ઘતેવ..
સૌધપદ્ધતિઃ | કરૂ છે જ્યાં હારબંધ આવેલાં ઘર, જાણે અમૃતે કરીને ન ધોવ્યાં હોય અથવા જાણે બરફથી ન શણગાર્યા હોય અથવા રૂપાનાં જ જાણે ન ચડ્યાં હોય, એવાં દીપે છે. दत्तचित्तप्रसादेषु..
.............મિત્રષ્યતિ ૧૪ છે. જ્યાં મનોહર શિવાલયોમાં શંકર કૈલાસનો વિલાસ ભૂલી જઇને સદાય રહે છે.