SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૨૨ ૧૯ પાટણ નગરીનો ભવ્ય ઈતિહાસ ડૉ. મનુભાઈ જી. પટેલ બાબુલાલ અંકુવા પાટણ-અણહિલપુર પાટણનો જ્યારે જ્યારે પણ વિચાર આવે છે ત્યારે ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીના શૌર્યકિત, પ્રવાહી શબ્દશિલ્પોથી સભર એવા મુંજાલ, સિધ્ધરાજ, કાકભટ્ટ, મંજરી અને ઉદા મહેતાનાં પાત્રો નજર સમક્ષ તરવરી ઉઠે છે. તો સાથે સાથે એકસો બાવન દરવાજામાંથી ઓપતી આ ગઢની આ નગરીના સહસ્ત્રલીંગ સરોવર, વીર માયો અને રાણીની વાવ યાદ આવ્યા વીના રહેતી નથી. પાટણ એટલે ઉત્તર ગુજરાતમાં આવેલું ઐતિહાસિક નગર, પાટણ ઈ.સ. ૭૪૬ થી ૧૪૧૧ સુધી ગુજરાતનું પાટનગર રહ્યું હતું. ગુજરાતની જહોજલાલી અને સમૃદ્ધિ તો ઇતિહાસ પ્રસિધ્ધ છે. એ સમૃધ્ધિના વખાણે તો રાજા ભુવડને ગુજરાત જીતવા લલચાયો, પંચાસરનો જયશિખર હાર્યો અને માર્યો ગયો, પણ નમ્યો નહિં. વનમાં જન્મેલ વનરાજે ગુજરાતનું રાજ્ય પાછું હાથ ધર્યું અને ઇ.સ. ૭૪૬માં અણહિલ પાટણ વસાવ્યું. પાટણના સંસારને પોતાની ઐતિહાસિક નવલકથાઓમાં ઉજાગર કરનાર સાહિત્યકાર શ્રી ક.મા. મુનશીએ પાટણ વિશે કહ્યું છે કે “બાળપણમાં મેં “Graves of vanished Empire" “એ નામનો લેખ લખ્યો, ત્યારથી પાટણને મેં ગુજરાતની અસ્મિતાનું આધારબિન્દુ માન્યું છે. ઇતિહાસકારો પાટણ અને તેના મહાપુરુષોની કથા વિસ્તારથી કહી શકશે. ખરી દષ્ટિએ આ ગાયકવાડી મહેસાણા પ્રાન્તનું નામ નથી, પણ સાથ્થી અને સમૃદ્ધિ, વિધા અને રસિકતામાં અયોધ્યા અને પાટલીપુત્ર, રોમ, એથેન્સ અને પેરિસનું સમોવડિયું શહેર છે.” અણહિલપુર પાટણ વસ્યું ને ગુજરાત પુનર્જીવન પામ્યું, મામાની ગાદી લઇને મૂળરાજ ! મહારાજે સોલંકીવંશ સ્થાપ્યો. મૂળરાજ મહારાજે ઈ.સ.૯૪૨માં ચાવડા વંશનો અંત આણી પોતે શાસનકર્તા બન્યો. ઉત્તર ગુજરાત, દક્ષિણ રાજસ્થાન, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેણે પોતાની સત્તા બાંધી, સોલંકી સત્તા લગભગ 30 વર્ષ સુધી રહી. ઈ.સ.૧૦૨૪માં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરોનો નાશ કરી કચ્છના માર્ગે લૂંટ કરી પાછો ફર્યો પછી ભીમદેવે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. કરણદેવે તેનો લાટ પ્રદેશ (આજનું દક્ષિણ ગુજરાત) સુધી વિસ્તાર કર્યો. ઇ.સ. ૧૦૯૪માં બાળ સિધ્ધરાજ ગાદીએ બેઠો અને ગુર્જરભૂમિને સત્તા અને પ્રતિષ્ઠાની પરાકાષ્ઠાએ લઈ ગયો. સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાનનો મોટો વિસ્તાર, માળવા અને દક્ષિણે થાણા સુધી ગુજરાતની આણ પ્રવર્તતી હતી. ઇ.સ. ૧૧૪૩ માં તેનું મૃત્યુ થયું ત્યારે મહાન રાજવી સિધ્ધરાજ સોલંકી આજના અર્વાચીન ગુજરાનની સીમારેખા આંકતો ગયો. અણહિલવાડ પાટણની સ્થાપના પછી ગુજરાતમાં અને ગુજરાત
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy