SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ X ૫. સામાણ્યું * “હે ભંતે! હું સામાયિક કરું છું.” આ પ્રતિજ્ઞા લેવામાં આવે છે. તેમાં સામાવં નો અર્થ શું ? એ હવે આપણે વિચારવાનું છે. સામાણ્યું એ પ્રાકૃત શબ્દ છે. નિર્યુક્તિ-ભાષ્ય-વૃત્તિકા૨ મહર્ષિઓ આ શબ્દના ત્રણ અર્થો દર્શાવે છે. साम्नः इकं सामायिकं समस्य इकं सामायिकं सम्यक् इकं सामायिकं એમાં સામ એટલે શું ? સમ એટલે શું ? સમ્યક્ એટલે શું ? એટલે શું ? એ આપણે જોવાનું છે. વૃત્તિકાર મહર્ષિ હરિભદ્રસૂરિજી એની વ્યાખ્યાઓ દર્શાવે છે કે ૬. આત્મનીવ પરવુ: વારાપરિળામો ભાવસામ પોતાને જેમ દુ:ખ ન થવું. જોઈએ, એમ કોઈને પણ દુઃખ ન થવું જોઈએ, એવો પરિણામ = અધ્યવસાય = પરિણતિ એ સામ ૨. અનાસેવનયા રાદેષમધ્યતિત્વ સમ રાગદ્વેષ ન કરવા રૂપે એ બંનેની મધ્યવર્તી બનવું તે સમ. સર્વત્ર આત્મનસ્તુત્યરુપેળ વર્તન સમં દરેક પદાર્થોમાં જીવે એક સરખી રીતે વર્તવું તે સમ. રૂ. જ્ઞાનવર્શનારિત્ર્યયોનનું સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રનું મિલન તે સમ્યક્ હવે રૂ શબ્દનો અર્થ દર્શાવે છે. આત્મામાં પ્રવેશ કરાવવો એ ફ । આત્મનિ પ્રવેશનમ્ સાર એ છે કે ૧, જેમ ‘મને કંઈપણ દુઃખ ન પડવું જોઈએ’ તેમ ‘કોઈપણ જીવને કંઈ પણ દુઃખ ન પડવું જોઈએ' એવા પરિણામને આત્મામાં પ્રગટાવવો એ સામાયિક. ૨. સારા કે નરસા કોઈપણ પદાર્થોમાં રાગદ્વેષ ન કરવા અને મધ્યસ્થ રહેવું... આવો માધ્યસ્થ્ય પરિણામ આત્મામાં પ્રગટાવવો એ સામાયિક. ૩. સમ્યગ્-જ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્પારિત્ર આ ત્રણેયને આત્મામાં પ્રગટાવવા એ સામાયિક. ૭૦ ****
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy