________________
જજલ ૯૦૯- જલા લજજાઃ- આ મહાવતો જજ જેલ ૯૦૯૯૯ -
અગીતાર્થ કે અસંવિગ્ન છે. એટલે જ સાંસારિક સ્નેહ સંબંધની માફક આ સંબંધ પણ કંઈ વિશેષ વખાણવા લાયક નથી. હા ! બાહ્ય દ્રષ્ટિએ એ સારું દેખાવાનું, ન ઝગડો ન કંકાસ ! બંને મસ્તીથી જીવે, એકબીજાના ગાઢ સ્નેહને આધારે જીવે. એમને આત્માનંદ યાદ જ નથી આવતો, એટલે જ એની ઉણપ પણ એમને દુઃખી નથી કરતી. સ્નેહથી ભર્યો ભર્યો સંસાર એમને ખૂબ જ ગમી રહે છે.
હા ! આવું પણ જોવા મળવાનું. જ્યાં શાસ્ત્રાજ્ઞાઓ પાળવાની કોઈ વાત નથી, જ્યાં દોષદહનની કે ગુણવિકાસની કોઈ વિચારણા નથી, જ્યાં દોષોની આલોચના કે એનું પ્રાયશ્ચિત્ત કરવાના કોઈ સંકલ્પો ય નથી, છતાં ય જ્યાં સંયમજીવન સરસ રીતે જીવાતું લાગે, કેમકે એમાં ભરપૂર સ્નેહાનંદ ભળી ચૂકેલો હોય છે.
રે ! આના કરતા પણ ગંભીર બાબત છે કામાનંદ ઉપર રચાયેલી સંયમજીવનની મોટી ઈમારત ! ભલે એમાં અબ્રહ્મરૂપી કામાનંદ ન હોય, પણ એ સિવાય પણ પાંચેય ઈન્દ્રિયોના સુખોનો ભરપૂર ભોગવટો તો હોઈ શકે છે ને? પુણ્યવાન (!) ગુરુ પાસે એ બધું સાવ સુલભ હોય, અને મુગ્ધ શિષ્યને એ બધું માફક આવી જાય. વિહારમાં સામાન ઉંચકવાનો જ નહિ, કેમકે સામાનની હેરફેર માટે ગાડી તૈયાર છે. ઘેર ઘેર ગોચરી ફરવાની નહિ, કેમકે રસોડાઓ અને ભક્તોના ટિફીનો તૈયાર છે. પાણીના ઘડા ઉંચકવાના, ઠારવાના, ગાળવાના નહિ. કેમકે એ બધું કામ તો પેલા માણસો જ પતાવી દેવાના છે. વડીનીતિ માટે નિર્દોષ જગ્યા શોધવાની, દૂર સુધી જવાની કોઈ મહેનત જ નહિ, કેમકે વાડા કે આગળ વધીને સંડાસ પણ તૈયાર જ છે. કાપ કાઢવાની જરુર જ નહિ, કેમકે એ કામ પણ માણસો કરી લે છે. સંથારા – ઉત્તરપટ્ટાના દુઃખો સહેવાના જ નહિ, કેમકે ખરબચડા નહિ, પણ સુંવાળા ધાબડાઓ બધે જ. સુલભ બનાવી દીધા છે. લોચના પણ દુઃખો વેઠવાના નહિ, કેમકે ખાનગીમાં અસ્ત્રો ફેરવી લેવાની સુવિધા પણ મેળવી લીધી છે.....
આ બધો છે, કામાનંદ ! ગુરુ તરફથી આ કામાનંદ મળે, પછી મુગ્ધશિષ્યને એ બધું ગમે અને એટલે જ એ આપનારા ગુરુ મહાન, ઉપકારી, તારણહાર લાગે તો એમાં વળી આશ્ચર્ય શું ?
ટુંકમાં ગુરુ જો ગીતાર્થ + સંવિગ્ન નહિ હોય તો એ ગુરુ - શિષ્યની જોડી કાં તો ભાંગી પડવાની કાં તો સ્નેહાનંદ કે કામાનંદના આધારે વિકસવાની. પણ આ જોડી નિશ્ચિત દુર્ગતિગામી બને... તો એમાં કોઈ જ આશ્ચર્ય નહિ.
આવું ન બને એ માટે ગણધર મહારાજાઓ મત્તે ! શબ્દ બોલીને મુમુક્ષુઓને, પ્રવ્રજિતોને સાવધ કરે છે, તમારા ગુરુ તરીકે ગમે તેને પસંદ ન કરતા, પણ ભદન્ત +
& 29-06--%
૩૨ જજ બજાજજ
જાત,