SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ભંતે (સંવિગ્ન અને ગીતાર્થને ગુરુ બનાવજો) આ આખીય દીક્ષાની સફળતાનો આધાર કોણ છે ? ખબર છે ? જો આ આધાર બરાબર નહિ, તો દીક્ષા માત્ર નિષ્ફળ જ ન જાય, પણ ભયંકર ફળો પણ આપે. જો આ આધાર બરાબર, તો દીક્ષા ઝટપટ મોક્ષ આપી દે. કોણ છે એ તત્ત્વ ? જે દીક્ષાની સફળતા અને નિષ્ફળતાનું મૂળ છે. એ છે ગુરુ ! ગુર જો સારા – સાચા મળી ગયા, તો બેડો પાર ! દીક્ષા લેનારો કદાચ મિથ્યાત્વી હોય તો પણ સાચા - સારા ગુરુના પ્રતાપે સંસાર તરી જાય. ગુરુ જો ખરાબ - ખોટા મળી ગયા, તો આ દીક્ષાની નાવડી સંસારસાગરમાં ડૂબી જ સમજો. વૈરાગી - ત્યાગી શિષ્યો પણ ખરાબ – ખોટા ગુરુના પ્રતાપે દીર્ઘ સંસારી બની જાય. એમાં ય ગુરમાં બે ગુણો હોવા જ જોઈએ. ગીતાર્થતા અને સંવિગ્નતા * જિનાગમોનો અને એમાંય નિશીથચૂર્ણિ વગેરે છેદ ગ્રન્થોનો તલસ્પર્શી બોધ ધરાવનાર ગુરુ એ ગીતાર્થ ગુરુ ! જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર આ પાંચેય પ્રકારના આચારોનું પોતાની શક્તિ પ્રમાણે સમ્યફ પાલન કરે અને આશ્રિતોને પાલન કરાવે તે સંવિગ્ન ગુરુ! સ્વાર્થ ભાવના રહિત, પરોપકારની સાચી ખેવનાવાળા ગુરુ એ સંવિગ્ન! આ બેમાંથી એક પણ ગુણની ખામીવાળા જો ગુરુ બને, તો શિષ્યને સંસાર તરવો ભારે પડી જ જવાનો એ નિશ્ચિત હકીકત છે. | ઉપદેશમાલાકાર કહે છે કે, → जं जयइ अगीयत्थो जं च अगीयत्थनिस्सिओ जयइ । वडावेइ गच्छं अणंतसंसारिओ होइ । અગીતાર્થ ગુરુ અને અગીતાર્થની નિશ્રામાં રહેલો ગચ્છ... એ બધાનો અનંતસંસાર થાય. ગચ્છાચારપયન્ના કહે છે કે, – નીયWવયોui વિસં હત્નાહિત્ન તુ પિવે ... -------------------------૨૭ માલ- નાત-નકલ-ના-નકલ------------------
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy