SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વથા મૈથુત વિરમણ મહાવ્રત દોષપાત્ર ન બને. (થ) મોટા નખ વડીલાદિને વંદનમાં વાગી જાય, કે પોતાને પણ વાગી જાય. એ નખમાં મેલ ભરાય, એ ખાવામાં જાય તો રોગાદિ થાય... આ બધા દોષોથી અટકવા માટે નખ સમારે, પણ એને ઘાટ આપવાની, સારા લાગે એવા કરવાની પ્રવૃત્તિ બિલકુલ ન કરે... તો એમાં સાધુ નિર્દોષ છે. (૬) નાના બાળકોને સાધુ માથે હાથ મૂકી આશીર્વાદ આપે, એવી મા-બાપને ઈચ્છા હોય. એમની એ પવિત્ર ભાવના, પવિત્ર શ્રદ્ધાની રક્ષા માટે, વૃદ્ધિ માટે સાધુ શુભભાવથી બાળકોના મસ્તકે હાથ મૂકે, વાસક્ષેપ નાંખી આપે... પણ ગાલ પંપાળવાદિ પ્રવૃત્તિ ન કરે... તો આ પણ એક અપવાદ છે. (ધ) બાળ સાધુને વાત્સલ્યની જરુર હોય, મા-બાપ હોય નહિ. એ તો પોતાના ગુરુને જ સર્વસ્વ સમજે એમના ખોળામાં માથું મૂકીને ઉંઘી જાય... જો એને વાત્સલ્ય ન અપાય તો એને ચારિત્રમાં ટકાવવો અઘરો જ છે. એ વખતે ગુરુ એના માથે હાથ ફેરવે, જરાક મોઢે હાથ પંપાળે... તો પણ એ સાધુ - ગુરુ નિર્દોષ છે. હા ! મનમાં કોઈ જ ખરાબ વિચાર ન હોવા જોઈએ. રે ! કોઈક સાધુ એવો ગ્લાન થાય કે એની મળશુદ્ધિ પણ બીજાએ કરવી પડે. એ વખતે વૈયાવચ્ચીઓ એના શરીરના તે તે અંગોની શુદ્ધિ કરે, પગ દબાવી આપે... છતાં આમાં માત્ર ને માત્ર ગ્લાન સાધુની સેવા કરવાનો જ એકમાત્ર ભાવ હોય તો એ સાધુ શુદ્ધ જ છે. આમ, બ્રહ્મચર્યમાં ભલે અપવાદ નથી, પણ બ્રહ્મચર્યની નવવાડોમાં અપવાદ હોઈ શકે છે. પણ એના માટે જરુરી છે એકદમ સાવચેતી ! સાવધાની ! સચેતતા ! બીજા બધા વ્રતોના અપવાદ કરતા આ મહાવ્રતના અપવાદો વધુ જોખમી છે. કેમકે એ અબ્રહ્મ નામના મહાપાપ તરફ જીવને ઢસડી જાય છે. ભલે એ કારણસર સેવાય, ભલે એ યતનાપૂર્વક સેવાય છતાં કામસંજ્ઞાના સંસ્કાર એવા તો જાલીમ છે કે જીવને ધીરે ધીરે અબ્રહ્મ તરફ, કામવિકારો તરફ ખેંચી જ જાય. એટલે જ આ મહાવ્રતની વાડોના અપવાદો ભલે આપ્યા છે, પણ એ ન જ સેવાય એમાં વધુ હિત છે. આ નવ વાડોને નિ૨૫વાદ જ માનીને ચાલશું તો જ બ્રહ્મચર્ય સરળ બની રહેશે. નહિ તો ગમે ત્યારે ગમે તે બની જાય એવી સંભાવનાને કોઈ જ નકારી નહિ શકે. માત્ર સુનંદાના વાળની લટના સ્પર્શથી સંભૂતિમૂનિ પતન પામ્યા. માત્ર રાજીમતીના દર્શનથી રહનેમિમુનિ પતન પામ્યા, વિગઈઓના ખૂબ વપરાશથી કંડરિક મુનિ ૧૦૦૦ વર્ષના તપસ્વી મુનિ પતન પામ્યા. ૨૩૩
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy