SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * *નું પ્રથમ મહાવત - જk : પડે. આ બધું શું માની શકાય ? તો પછી પાંચમાં આરાના અંત સુધી શાસન ટકવાની વાત જ ક્યાં રહી ? ગુરઃ ઉપરની ત્રણમાંથી જો કોઈપણ વિરાધના થાય તો મહાવ્રતનો ભંગ થાય એ તો નિશ્ચિત હકીકત છે. પણ ભંગ બે પ્રકારનો છે. (૧) દેશભંગ (૨) સર્વભંગ. જેમ કોઈ માણસને રોગ થાય, અકસ્માતુ થાય તો એમાં માણસ મરી જ જાય એવો નિયમ નથી. જીવલેણ રોગ કે જીવલેણ અકસ્માત થાય તો માણસ મરી જાય, પણ એ સિવાય તો માણસ માંદો પડે, પથારી ભેગો થાય, પણ મરી ન જાય. દવાઓ લઈને એ પાછો સાજો થઈ જાય. એવું જ આ મહાવ્રતો અંગે છે. રાગજન્યવિરાધના વૈષજન્ય વિરાધના શક્તિનિગૂહનજન્ય વિરાધના - આ ત્રણ દર્ષિક પ્રતિસેવા ગણાય. ગીતાર્થ/ગીતાર્થનિશ્ચિત કારણસર યતનાપૂર્વક દોષ સેવે તે કલ્પિક પ્રતિસેવા ગણાય. આ કલ્પિક-પ્રતિસેવામાં તો મહાવ્રતને કોઈ નુકસાન નથી, એનું પોષણ છે. દર્ષિક પ્રતિસેવામાં મહાવ્રતને નુકસાન થાય. દપિક પ્રતિસેવા રોગ જેવી છે, અકસ્માતુ જેવી છે. એનાથી મહાવ્રતનો વિનાશ પણ થાય કે મહાવ્રતને ઈજા પણ થાય. પ્રશ્ન : કઈ દર્ષિક પ્રતિસેવાથી મહાવ્રતોનો વિનાશ થાય અને કઈ દર્ષિક પ્રતિસેવાથી મહાવ્રતોને ઈજા થાય પણ મરણ ન થાય, એ દર્શાવશો ? ઉત્તર : હા ! શાસ્ત્રમાં કીધું છે કે सव्वे वि अइआरा संजलणाण उदयओ हंति બધા જ અતિચારો સંજવલનના ઉદયથી થાય. એ સિવાયના કોઈપણ કષાયના ઉદયથી મહાવ્રત મૂલથી છેદાઈ જાય. અર્થાત્ મહાવ્રતનું મોત થાય, ફરી દીક્ષા આપવી પડે. - એનો સાર એ કે કોઈપણ દર્ષિક પ્રતિસેવા પાછળ જો માત્ર સંજવલનકષાયનો જ ઉદય હોય તો ત્યાં મહાવ્રતને ઈજા થાય, અતિચાર લાગે, ... પણ સાધુપણું જતું ન રહે. છઠું ગુણસ્થાનક જતું ન રહે. એ તો ટકી રહે, માત્ર એમાં થોડીક નબળાઈ આવે. પણ કોઈપણ દર્ષિક પ્રતિસેવા પાછળ જો બાકીના કોઈપણ કષાયનો ઉદય હોય તો ત્યાં મહાવ્રતનું મૃત્યુ જ થાય. સાધુપણું જતું રહે, છઠ્ઠ ગુણસ્થાન જતું રહે. નહ-se-se-------------- ૧૬૩ ૦૯-૦૯-૯-૦૯-૯-૦૯-૦૯--૯-૦૯-૦૯-૦૯-૪૯
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy