SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ નક જ લકઝક જ જ-જર્ભ નિામ રદ્યામિ મMા વોસિરામિ જજ જજ એની પાસે પ્રતિક્રમણ (- ભૂતકાલીન પાપોની અનુમોદનાનો અભાવ) હોય અને ભૂતકાલીન પાપોની ઘોર નિંદા પણ હોય. પ્રતિક્રમણ હોય તો નવા કર્મોનો બંધ અટકે, સંવર થાય. નિંદા હોય તો જૂના કર્મોનો ક્ષય થાય, નિર્જરા થાય. મુખ્યત્વે અનુબંધ તૂટે. મોક્ષ માત્ર સંવરથી નથી મળતો, એમાં નિર્જરા પણ જોઈએ જ છે. આ વાત શાસ્ત્રકાર ભગવંતો સારી રીતે સમજે છે. માટે જ તેઓ માત્ર પ્રતિક્રમણની વાત કરીને અટક્યા નથી. સાથે સાથે નિંદાની પણ વાત ભારપૂર્વક કરે છે. નિંદાની તાકાત અપરંપાર છે, ક્ષપક શ્રેણી મંડાવી દેવાનું કામ આ નિંદા કરે છે. શ્રી મહાનિશીથસૂત્રમાં લખેલું છે કે પોતાના ભૂતકાલીન પાપો બદલ ઘોર પશ્ચાત્તાપ કરનારા અનંતાનંત આત્માઓ ક્ષપકશ્રેણી પર ચડીને સકલ કર્મનો ક્ષય કરીને મોક્ષ પામ્યા છે. પ્રશ્ન : જો નિંદાથી જ કાર્ય પતી જતું હોય, તો ગુરુને એ બધા પાપો કહેવા રૂપી ગહની શી જરુર? ઉત્તર : પોતાના પાપોનો ઘોર પશ્ચાત્તાપ હોય, અર્થાત્ આત્મનિંદા આત્મસાત થઈ હોય તો પણ ગુરુને એ બધા જ પાપો કહેવા રૂપી ગઈ અવશ્ય કરવી, કેમ કે... (ક) પોતાના પાપો નિર્લજ્જ બનીને ગુરુને કહેવા માટે પુષ્કળ માનસિકબળની જરુર પડે. અર્થાત્ વીર્યાન્તરાયનો પુષ્કળ ક્ષય થાય ત્યારે જ આ ગહ શક્ય બને. (ખ) નિંદા સાચી તો જ કહેવાય, જો ગહ કરવાની સંપૂર્ણ તૈયારી હોય. એક બાજુ પોતાના પાપો પર ઘોર પશ્ચાત્તાપ હોવાની વાત અને બીજી બાજુ ગુરુને એ પાપો કહેવામાં સંકોચ. એ બે વસ્તુને મેળ જ નથી. એટલે જે એમ કહે કે “હું મારા પાપો ગુરુને ન કહી શકું...” તેને એ પાપોનો સાચો પશ્ચાત્તાપ જ નથી, એમ માનવું પડે : ' પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો જયારે માઝા મૂકે, ત્યારે રોગી બૂમો પાડે, ડોક્ટર પાસે સામેથી દોડે અને પોતાના રોગનું રડતા રડતા વર્ણન કરે. પણ જે રોગી પોતાનો રોગ ડોક્ટરને કહેવાની ના પાડે, છુપાવવાનો પ્રયત્ન કરે... એ પરમાર્થની રોગનાશને ઈચ્છતો જ નથી, એમ માનવું પડે. - એમ દોષો સેવી ચૂકેલો જીવ જો ગુરુને એ દોષો કહેવાની તૈયારી ન રાખે, એ દોષો છુપાવવાનો પ્રયત્ન કરે, તો પરમાર્થથી એ દોષનાશને ઈચ્છતો જ નથી, એમ માનવું પડે. નિંદા સાચી છે, એનું બેરોમીટર આ જ કે તે ગહ કરે છે, કરવા તૈયાર છે. જેઓ વગર ગહએ મોક્ષે ગયા છે, તેઓ પણ ગહ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા, માટે જ મોક્ષે ગયા છે. ગઈ કરવાની તૈયારી પણ જેની ન હોય તેઓ ત્રિકાળમાં મોક્ષ પામ્યા નથી. જજજ દદદન૧૨ ૫ જજ જ છે
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy