SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ નાળા હાથ હાથના અંશો હાથના અંશનું માન ૪૫ ૧ ૦ ૧૬ || 0 | * || || 0 | % || ||0|| ८ ૧ ૩૫ ૪૫ ૪૫ ૪૫ ૪૫ ૪૫ ૫ | ૧ ૩ ૬ ৩ ૧ ૧૧ ૧૯ || આચારપ્રદીપ હવે રાજા તે બંને કન્યાઓને કહે છે કે, તમે મને સારી રીતે કહો કે આ લોકમાં કર્મ પ્રધાન (= મુખ્ય) છે કે ઉપક્રમ (= ઉદ્યમ) પ્રધાન છે, અથવા બંને સમાન છે. ત્યારે પહેલી પુત્રીએ કહ્યું કે, પરાક્રમની જેમ સર્વ જગ્યાએ ઉપક્રમ જ ફળ સાધવામાં કારણ છે, ઉપક્રમ વિનાનું કર્મ નિષ્ફળ છે. ભોજન કરવું, વસ્ત્ર ધારણ કરવું, ધન મેળવવું, બીજાને આકર્ષવું, શત્રુનો નાશ કરવો વગેરે તથા વિદ્યા ગ્રહણ કરવી, રાજ્ય પ્રાપ્ત કરવું વગેરે પણ ઉદ્યમથી જ સિદ્ધ થાય છે. તેથી કહ્યું છે કે— उद्यमेन हि सिध्यन्ति, कार्याणि न मनोरथैः । नहि सुप्तस्य सिंहस्य, प्रविशन्ति मुखे मृगाः ॥ ११९ ॥ ઉદ્યમથી જ સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે પણ મનોરથોથી કાર્યની સિદ્ધિ થતી નથી. સુતેલા સિંહના મોઢામાં એની મેળે આવીને મૃગલાઓ પ્રવેશ કરતા નથી. उद्यमः खलु कर्त्तव्यो, मार्जारस्य निदर्शनात् । जन्मप्रभृति गौर्नास्ति, दुग्धं पिबति नित्यशः ॥ १२० ॥ બિલાડીના દૃષ્ટાંતને ધ્યાનમાં રાખીને હંમેશા ઉદ્યમ જ કરવો જોઈએ. કારણ કે બિલાડીને જન્મથી માંડીને ગાય નથી છતાં પણ ઉદ્યમથી દરરોજ દૂધ પીએ છે. હવે બીજી પુત્રી બોલી કે, કર્મ વિનાના ઉદ્યમનું શું ફળ છે ? અર્થાત્ કંઇ ફળ નથી. કારણ કે બીજ વિના ખેતી કરવાનો સર્વ પણ ઉદ્યમ નકામો જ છે. કહ્યું પણ છે કે— महत्युपायेऽपि कृते, विना भाग्यं फलं न हि । પીયુષત્રિપાનેઽષિ, રાહોનીેવા પાત્રવાઃ ॥ ૨૨૨ ॥ મોટો પણ ઉપાય કરવામાં આવે છતાં પણ ભાગ્ય વિના ફળની પ્રાપ્તિ થતી નથી. 'રાહુએ ચંદ્રનું પાન કર્યું છતાં પણ તેના અંગના અંકુરા ફૂટ્યા નહીં. ૧. રાહુને ફક્ત મસ્તક છે. તેણે અમૃત વરસાવનારા ચંદ્રનું પાન કર્યું છતાં અંગના અંકુરા ન ફૂટ્યા. અર્થાત્ એક પણ અંગની વૃદ્ધિ ન થઈ.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy