SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો પ્રકાશ - તપાચાર ભેદથી બે પ્રકારનું છે. અને તેનો અહીં અધિકાર નથી. પરંતુ શુભધ્યાનનો અધિકાર છે. તે શુભ ધ્યાન ધર્મ અને શુક્લના ભેદથી બે પ્રકારનું છે. આ ચારેય પ્રકારના ધ્યાનના દરેકના ચારચાર ભેદોનું કંઇક વિસ્તારપૂર્વકનું સ્વરૂપ ચારિત્રાચારના ભેદમાં મનોગુપ્તિના વ્યાખ્યાનમાં વર્ણવ્યું છે. ૨૬૭ શુભધ્યાન લાંબાકાળથી ભેગા કરેલા અનંતા પણ કર્મોને તત્ક્ષણે જ નાશ કરવાનું કારણ છે. મહાભાષ્યકારે (જિનભદ્રગણિક્ષમાશ્રમણે) કહ્યું છે કે, जह चिरसंचियमिंधण-मनलो पवणसहिओ दुअं डहइ । तह कम्मिंधणममिअं, खणेण झाणाणलो डहइ ॥ १ ॥ [ ध्यानशतकम् - १०१] જેવી રીતે પવનથી સહિત અગ્નિ લાંબાકાળથી ભેગા કરેલા ઇંધનને જલદી બાળી નાખે છે તેવી રીતે ધ્યાનરૂપી અગ્નિ અમાપ કર્મરૂપી ઇંધનને ક્ષણવારમાં બાળી નાખે છે. जहवा घणसंघाया, खणेण पवणाहया विलिज्जति । झाणपवणावहूआ, तह कम्मघणा विलिज्जंति ॥ २ ॥ [ ध्यानशतकम्-१०२ ] અથવા જેવી રીતે પવનથી હણાયેલા વાદળાઓના સમૂહો ક્ષણવારમાં નાશ પામે છે, તેવી રીતે ધ્યાન રૂપી પવનથી હણાયેલા કર્મરૂપી વાદળાઓ નાશ પામે છે. વળી બીજું— जोगे जोगे जिणसासणंमि दुक्खक्खया पउंजंते । રૂદ્ધિમિ મળતા, વકૃતા વલી ગાયા ૫ રૂ ૫ [ઓન-૨૭૭ ] જિનશાસનમાં યોજાયેલો એકે એક યોગ દુઃખનો ક્ષય કરનારો છે. એક એક યોમાં વર્તતા અનંતા જીવો કેવલી થયા છે. જો કે આ પ્રકારની ઉક્તિથી જિનશાસનમાં જેટલા પણ સુકૃતના પ્રકારો છે તેટલા સર્વે પણ મુક્તિના કારણ છે. પરંતુ તે સુકૃતના પ્રકારો શુભ ધ્યાનને અનુસરનારા હોય તો જ મુક્તિના કારણ થાય છે. શુભ ધ્યાનને અનુસરનારા ન હોય તો ઘણા કાળ સુધી ચારિત્રની આરાધના કરનારા અંગારમર્દક આચાર્ય આદિની જેમ મુક્તિના કારણ થતા નથી. શુભધ્યાન હોતે છતે સ્ત્રી, ધન વગેરે જે કોઇ પણ સંસારની આસક્તિના કારણો છે તે પણ મુક્તિના જ કારણો બની જાય છે. જેથી કહ્યું છે કે,
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy