SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદ પ જાણવી, પણ બીજાઓને નહીં. કારણ કે તેઓને ઉપધિના અભાવમાં સમગ્ર સંયમનું પાલન થઇ શકતું નથી. અથવા તો તેઓને પણ અતિરિક્ત (=વધારાના) ઉપકરણના અગ્રહણથી ઉપકરણ ઊણોદરિકા વિકલ્પવાળી જ છે. અને ભક્ત-પાન ઊણોદરિકા પોતાના આહારની માત્રા=પ્રમાણના ત્યાગથી જાણવી. આહારનું માન આ પ્રમાણે છે— ૨૪૮ बत्तीसं किर कवला, आहारो कुच्छिपूरओ भणिओ पुरिसस्स महिलिआए, अट्ठावीसं भवे कवला ॥ १ ॥ [ पिण्ड नि०६४२ ] ખરેખર બત્રીસ કોળીયા આહાર પુરુષની કુક્ષિને ભરનારો કહ્યો છે. અને અટ્ઠાવીશ કોળીયા આહાર સ્ત્રીની કુક્ષિને ભરનારો થાય છે. कवलस्स य परिमाणं, कुक्कुडिअंडगपमाणमित्तं तु । जं वा अविगिअवयणो, वयणंमि छुभिज्ज वीसन्तो ॥ १ ॥ કુકડીના ઇંડા જેટલું કોળીયાનું પ્રમાણ છે, અથવા તો મુખમાં નંખાયેલો કોળીયો મુખમાં પ્રવેશ કરતો મુખને વિકૃત ન કરે તેટલું પ્રમાણ કોળીયાનું જાણવું. તે ભક્ત-પાન ઊણોદરિકા અલ્પાહાર આદિ ભેદથી પાંચ પ્રકારની છે. જેથી કહ્યું છે કે, अप्पाहार अवड्डा, दुभाग पत्ता तहेव किंचूणा । अट्ठदुवालससोलस, चउवीस तहेक्कतीसा य ॥ १ ॥ [ स्थानाङ्ग तृत्तीयस्थाने] અલ્પાહાર, અપાર્શ્વ, દ્વિભાગ, પ્રાપ્તા, કંઇક ન્યૂન અનુક્રમે આઠ, બાર, સોળ, ચોવીસ અને એકત્રીસ (કોળીયાથી જાણવી). અહીં ભાવાર્થ આ પ્રમાણે છે— (૧) અલ્પાહાર– જેમાં એક કોળીયાથી માંડીને આઠ કોળીયા સુધીનો આહાર હોય તે અલ્પાહાર ઊણોદરિકા છે. અહીં એક કોળીયાવાળી જઘન્ય, આઠ કોળીયાવાળી ઉત્કૃષ્ટ અને બે વગેરે કોળીયાવાળી મધ્યમ જાણવી. (૨) અપાá– જેમાં નવ કોળીયાથી માંડીને બાર કોળીયા સુધીનો આહાર હોય તે અપાર્દ્ર ઊણોદરિકા છે. (૩) દ્વિભાગ– જેમાં તેર કોળીયાથી માંડીને સોળ કોળીયા સુધીનો આહાર હોય તે દ્વિભાગ ઊણોદરિકા છે. (૪) પ્રાપ્તા— જેમાં સત્તર કોળીયાથી માંડીને ચોવીસ કોળીયા સુધીનો આહાર હોય તે પ્રાપ્તા ઊણોદરિકા છે.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy