SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ આચારપ્રદીપ દિશામાં વ્યાપે તે) વર્ણ, (અર્ધ દિશામાં વ્યાપે તે) શબ્દ, (તે જ સ્થાનમાં વ્યાપે તે) ગ્લાવા માટે તપ ન કરવો જોઇએ, પરંતુ ફક્ત સકામ નિર્જરા માટે જ તપ કરવો જોઇએ. આથી જ પ્રવચનમાં-જિન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ નવ નિયાણાનો તપસ્વીએ ત્યાગ કરવો જોઈએ. કારણ કે, यः पालयित्वा चरणं विशुद्धं, करोति भोगादिनिदानमज्ञः । स वर्धयित्वा फलदानदक्षं, कल्पद्रुमं भस्मयतीह मूढः ॥ १ ॥ ચારિત્રનું વિશુદ્ધ રીતે પાલન કરીને અજ્ઞાની એવો જે ભોગાદિનું નિદાન કરે છે, મૂઢ એવો તે ફળ આપવામાં સમર્થ એવા કલ્પવૃક્ષને મોટો કરીને ભસ્મીભૂત કરે છે. નિદાનનું સ્વરૂપ અમારા વડે રચાયેલી પ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાંથી જાણી લેવું. છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અત્યંતર ભેદોથી તપ બાર પ્રકારનો છે. અને તે તપનું આચરણ કરવું તે તમાચાર છે. જે ઋષિનું વચન છે કે, बारसविहमि वि तवे, सब्भितरबाहिरे कुसलदिढे । તારૂ મનવી, નાયવ્યો તો તવાયારો ? A [વાવૈ.નિ.-૨૮૬ ]: તીર્થકર વડે જોવાયેલા અત્યંતર અને બાહ્ય બાર પ્રકારના તપમાં ગ્લાનિ વિના આશંસાથી રહિત (પ્રયત્ન કરવો) તે તપાચાર જાણવો. વિશેષાર્થ – સતિજે તીર્થકરો વડે જોવાયેલા. માતારૂ–ચિત્તના ઉત્સાહથી પણ રાજવેઠની રીતથી નહીં અથવા તો યથાશક્તિ તપ કરે. કારણ કે, " सो अ तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । ને દિયા, ને ય નાના ન રાતિ છે ? I [પવવતુ-૨૨૪]. જે તપ કરવાથી મન અશુભ ન વિચારે, જે તપ કરવાથી ઇંદ્રિયોની હાનિ ન થાય અને જે તપ કરવાથી (આવશ્યક) યોગોની હાનિ ન થાય તે તપ કરવો જોઇએ. HITનીવિ=અનાશસી. એટલે કે આ લોક અને પરલોક વગેરેની આશંસાથી રહિત. બાહ્ય અને અત્યંતર તપમાં અનશન વગેરે છ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત વગેરે - છ અત્યંતર તપના ભેદો છે. જેથી ઋષિ વચન છે કે,
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy