SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ આચારપ્રદીપ એવો પુણ્યસાર રાજા સુરેન્દ્રની જેમ સર્વઋદ્ધિથી આનંદપૂર્વક તે મુનિ ભગવંતને વંદન કરવા માટે ગયો. પ્રદક્ષિણા વગેરે વિધિથી વંદન આદિ કરવાપૂર્વક ગુરુની આગળ આદરપૂર્વક તે યથાસ્થાને બેઠો. જે જેનાથી મોટાઇ ઉપર આરૂઢ થયો હોય તે તેની શ્રેષ્ઠ મોટાઇ કરે, જો ન કરે તો એની કૃતજ્ઞતા ક્યાં રહી? અથવા તો એનો શુભોદય કેવી રીતે થાય ? તેથી કહ્યું છે કે, धर्मादधिगतैश्वर्यो, धर्ममेव निहन्ति यः । स कथं सुगतिं यायात्, स्वस्वामिद्रोहपातकी ? ધર્મથી ઐશ્વર્યને પામેલો જે પુરુષ ધર્મને જ હણે તે પોતાના સ્વામીનો દ્રોહ કરનાર પાપી સુગતિમાં કેવી રીતે જાય ? તેથી પૂર્વે ધર્મથી પ્રાપ્ત કરેલી અતિ મોટી ઋદ્ધિવાળા મોટા માણસોએ વિશેષથી આ ધર્મ સેવવો જોઇએ. આ પ્રમાણે ધર્મથી મોટા રાજ્યની પ્રાપ્તિ અને મોટા રાજ્યવાળાએ ધર્મ સેવવો એમ અન્યોઅન્ય ઉપકારતા થાય છે. મોટા ન હોય તેમણે મોટાઇ માટે અને મોટા હોય તેમણે મોટાઇની વૃદ્ધિ માટે હંમેશા પણ અપ્રમાદવાળા થઇને સારી રીતે ધર્મ આરાધવો જોઇએ. મેઘનું પાણી પીનારા ચાતકની જેમ દેશના રૂપ અમૃતના પાનથી અન્નના ભોજનથી જેવી રીતે તૃપ્તિ થાય તેવી તેને તૃપ્તિ થઇ. હવે અવસર પામીને શ્રુતના સાગર ચારજ્ઞાનને ધારણ કરનારાઓમાં મુખ્ય એવા ગુરુને રાજાએ પોતાનો પૂર્વભવ પૂછ્યો. ગુરુએ કહ્યું: હે મહાભાગ ! પૂર્વે મહાપુર નામના નગરમાં મહાનંદ નામનો મહાઋદ્ધિવાળો મહા આસ્તિક હતો. તેનો પુત્ર પિતા વગેરેથી આસ્તિકક્રિયા શિખવાડાયેલો હોવા છતાં પણ ધર્મમાં પ્રમાદ કરતો, સંસારમાં મદ કરતો, અશિષ્ટ બુદ્ધિવાળો, પિતા વગેરે ઉપર દ્વેષ કરે છે. ધર્મસાર એ પ્રમાણે પિતાએ તેનું નામ આપ્યું હોવા છતાં અર્થથી રહિત છે=નકામું છે. અને તેથી લોકમાં હાંસી માટે થયું. સાન્વર્થમાં (=નામ પ્રમાણે કાર્ય દેખાતું હોય તો તેમાં) આપેલું નામ ઉચિત બને છે. કોઇ વખત કૌતુક જોવા માટે ઉચક મનવાળા સ્નેહી મિત્રોની સાથે સુંદર ઉદ્યાનમાં હર્ષપૂર્વક વિચરતા તેણે એક બાજુ સ્વાભાવિક સુખના સંસર્ગવાળા, કાયોત્સર્ગમાં રહેલા, અનાર્ય એવી વાંદરીથી ફડાતા અંગવાળા મુનિને જોયા. સઘળો ય જન ઉપદ્રવથી રક્ષા કરવા યોગ્ય છે તો પછી મુનિની તો શું વાત કરવી ? આ પ્રમાણે વિચારીને તેણે સારી રીતે વાંદરીનું નિવારણ કર્યું. છતાં પણ પિશાચણીની જેમ વાંદરીએ તે મુનિને ન છોડ્યા. દુઃખે કરી પાર પામી શકાય તેવા ઉપસર્ગમાં પણ મેરુ પર્વતની જેમ નિકંપ તે મુનિ તત્કાલ જ કેવળજ્ઞાનથી આશ્રય કરાયા. અર્થાત્ મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy