SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ તૃષ્ણા, હર્ષ, ઉત્સુકતા, મોહ, નિરાશા, નિર્વેદ, લજ્જા, અસૂયા, પશ્ચાત્તાપ આદિને ધારણ કર્યું. ત્યારે કેટલાકોએ માતા-પિતાના, કેટલાકોએ કન્યાના, કેટલાકોએ સ્વયંવરના, કેટલાકોએ પોતાના કર્મના અને જાણકારોએ પોતાની દુરાશાના અવર્ણવાદ કર્યા.. ૨૩૬ તે કન્યા જલદીથી આ પ્રમાણે સઘળાય રાજાઓને ઓળંગે છતે ગુસ્સે થયેલી પ્રતિહારીએ કહ્યું કે તો હવે આ કૂબડાને વર. તેણીનું કહેલું જાણે સાચું કરવા માટે ન હોય તેમ પૂર્વે સ્વપ્ર જોવાથી તે કન્યાએ તરત જ ઉત્કંઠાપૂર્વક વરમાળા કૂબડાના કંઠમાં નાખી. સ્વયંવર ઉત્સવના દિવસથી પૂર્વના દિવસે ચિંતાવાળી તેણી અભ્યર્ચન વગેરેથી ગોત્ર દેવતાની આરાધનામાં ઉદ્યત થઇ. ગોત્ર દેવતાએ સ્વપ્રમાં કહ્યું કે, હે વત્સે ! જો તું શ્રેષ્ઠ વરને ઇચ્છે છે તો જગતમાં ઉત્તમ, ગુપ્ત રૂપવાળા કૂબડા અંગવાળાને પરણજે. આ પ્રમાણે સ્વપ્રના અનુસારે ફૂલ જેવા તે રાજાઓને છોડીને કમલની કમળને ભજે તેવી રીતે તેણીએ કૂબડાને ભજ્યો તે યોગ્ય છે. ત્યારે આકાશમાંથી વિશ્વને અસાધારણ વિસ્મય આપનારી ‘સારું વરાયુ, સારું વરાયુ' એ પ્રમાણે ઘોષણા થઇ અને પુષ્પની વૃષ્ટિ થઇ. ત્યારે કેટલાક ઇર્ષ્યાળુ ઇર્ષ્યાથી આટલા બધા રાજાઓ હોતે છતે આ કૂબડો કન્યાને કેમ ભજે ? એ પ્રમાણે જેટલામાં બોલ્યા, તેટલામાં આકાશમાં પ્રમાણભૂત એવી દિવ્યવાણી થઇ કે, ભો ! રાજાઓ ! રાજાઓમાં અગ્રેસર એવો આ પુણ્યસાર રાજા છે. આ રાજાના અગણિત પુણ્યથી આકર્ષાયેલો હું તમને આ સ્પષ્ટ કહું છું કે, જે આ રાજાને નહીં માને તેને હું શિક્ષા કરીશ એમાં શંકા નથી. અર્થાત્ અવશ્ય શિક્ષા કરીશ. આવા પ્રકારની ઉક્તિથી સર્વે પણ વિસ્મય પામ્યા અને કંપ્યા. અને વિચાર્યું કે નક્કી આ ચક્રવર્તીની જેમ માનવા યોગ્ય છે. કર્ણ માટે અમૃત સમાન એવું પોતાના પુત્રનું નામ માત્ર સાંભળવાથી પુણ્યસારના પિતાએ ત્યારે આ પ્રમાણે વિચાર્યું કે, આ પુણ્યસાર રાજા કોણ છે ? શું આ મારો પુત્ર છે ? અથવા તો ડગલે ને પગલે નામની અને તેજની (અથવા સ્થાનની) સમાનતા હોય છે. આ પ્રમાણે જેટલામાં પુણ્યસાર રાજાના પિતા વિચારે છે તેટલામાં હું જણાઇ ગયો છું=ઓળખાઇ ગયો છું. એ પ્રમાણે (વિચારીને) ત્યારે તરત પુણ્યસાર દેવની જેમ સ્પષ્ટ સ્વરૂપવાળો=પોતાના મૂળ રૂપવાળો થયો. અને ઊભો થઇને ઘણી ભક્તિથી પિતાના પગને નમ્યો. કારણ કે સજ્જનોની ક્યાંય પણ ઔચિત્યની વિપરીતતા હોતી નથી. અર્થાત્ સજ્જનો ક્યાંય પણ ઔચિત્યને ચૂકતા નથી. આશ્ચર્યકારી સત્કર્મના યોગથી મહાનંદનો સંગમ કરાવનારા પુત્રનો સંગમ થયે છતે પિતા નિવૃત્તાત્મા થયા=શાંતિ પામ્યા તે યુક્ત જ છે. તેનો સઘળો ય વૃત્તાંત જાણ્ય છતે સઘળા ય રાજાઓએ તેનું યથોચિત સન્માન કર્યું. મહાન માણસ કોના વડે સત્કાર
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy