SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રકાશ–ચારિત્રાચાર દિવ્યભોગઋદ્ધિના ભોગોથી ભાગ્યશાળી એવા તેણે પોતાને કૃતાર્થ કર્યો. ખેચરોની ખેચરઋદ્ધિમાં અને દેવોની દેવઋદ્ધિમાં આશ્ચર્ય કરનારું કંઇ નથી. અર્થાત્ ખેચરો ખેચરની ઋદ્ધિને ભોગવે અને દેવો દેવઋદ્ધિને ભોગવે એ આશ્ચર્ય નથી. પરંતુ આ આશ્ચર્ય છે કે ભૂચર ખેચરની ઋદ્ધિને ભોગવે છે. ૨૩૧ માલવ નામના દેશમાં અલકાપુરીને જીતનારી ઉજ્જયની નામની નગરીમાં પરાક્રમથી આક્રાંત કરેલા છે શત્રુઓને જેણે, પૃથ્વી રૂપી ક્યારામાં વિલાસ કરતો વિક્રમાકર નામનો રાજા હતો. તેને હરણીઓની આંખોને ત્રાસ પમાડ્યો છે જેણીએ એવી પદ્મનેત્રા નામની પ્રિયા હતી. તે રાજાને બીજી પણ સેંકડો માનનીય રાણીઓ હતી. અને સર્વે પણ રાણીઓને ઉત્પન્ન થયેલા સેંકડો પુત્રો હતા. પટ્ટરાણીને તો લાંબા કાળે દિવ્ય અંગવાળી એક જ પુત્રી હતી. કારણ કે સંપત્તિઓ પોતપોતાના પૂર્વના પુણ્યબંધને અનુસરનારી હોય છે. જે વસ્તુ અલ્પ હોય તેનું માન ઘણું હોય. આથી પિતા વગેરેને લક્ષ્મીની જેમ આ જ પુત્રી પોતાના ભાગ્યથી બધા પુત્રો કરતા પણ અધિક માન્ય હતી. ચતુર એવી તેણીએ લીલાથી જલદીથી સ્ત્રીની ચોસઠ કળાઓ શીખી લીધી. ગુરુ તો સાક્ષીમાત્ર થયા. વિશેષ કરીને વેણુ, વીણા વગેરેમાં તે તેવી હોશિયાર થઇ કે જેથી વીણાના નાદથી વશ થયેલા દેવો પણ વિવશ થાય છે. તેથી તેણીએ પ્રતિજ્ઞા કરી કે જે યુવાન વાદમાં વીણાના નાદથી મને જીતશે તેને જ હું પરણીશ બીજાને નહીં. તેથી રાજાએ પોતાની પુત્રીની પ્રતિજ્ઞા ચારે દિશામાં પુત્રોથી સહિત એવા રાજાઓને જણાવી. કારણ કે પુત્રીના વરની ચિંતા દુઃખે કરી સહન કરી શકાય એવી હોય છે. ચારે બાજુથી પણ પુત્રો સહિત ક્ષત્રિય રાજાઓ ગર્વપૂર્વક ત્યાં આવ્યા. વાણિયા અને બ્રાહ્મણો પણ ત્યાં આવ્યા. કારણ કે સ્પૃહા સર્વસાધારણ હોય છે. પરંતુ તે કન્યાના વીણાના નાદના ઉન્માદથી મર્દન કરાયેલા તેઓ અહંકાર સહિત સ્પૃહાનો ત્યાગ કરીને જે પ્રમાણે આવ્યા હતા તે જ પ્રમાણે પાછા ગયા. ભૂમિચારી ખેચરોએ અદ્ભૂત એવું તે સાંભળ્યું અને રથનૂપુર રાજાની સભામાં પ્રકાશિત કર્યું, અર્થાત્ જણાવ્યું. તે સાંભળીને સઘળાય પણ ખેચરો વિસ્મય પામે છતે પુણ્યસારે કહ્યું કે, ખરેખર ! આ કૌતુક જોઇએ. ત્યાર પછી બીજા દેવોની સાથે ઇન્દ્રની જેમ વિદ્યાધરોની સાથે વિમાનમાં રહેલો, અસાધારણ લક્ષ્મીવાળો પુણ્યસાર ઉજ્જયની નગરીમાં ગયો. પૂર્વે વાદ માટે બનાવેલા મોટા અખંડ મંડપમાં તે પ્રમાણે આવતા એવા તેને જોઇને જ તે કન્યા તરત જ બળવાળી થઇ, અર્થાત્ તેણીના શરીરમાં જોમ આવી ગયું. અને તેણીએ વિચાર્યું કે પૂર્વના પુણ્યસમુહવાળો, ઉત્કૃષ્ટ રૂપવાળો, ઘણી લક્ષ્મીવાળો કોઇ પણ આ પ્રગટ થયો છે. તેથી આ જ મારો વર થાઓ. તેણીએ જ્યારે રાજાના આદેશથી પોતાની વીણાને વગાડી ત્યારે તરત જ પુણ્યસારે
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy