SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ (૪)વ્યુપરતક્રિયા અપ્રતિપાતિ– જેમણે સંપૂર્ણ યોગનો નિરોધ કર્યો છે અને જે શૈલેષી અવસ્થાને પામ્યા છે એવા કેવલિ ભગવંતને જ આ વ્યુપરતક્રિયા અપ્રતિપાતિ નામનું શુક્લધ્યાન હોય છે. મનોગુપ્તિ પૂર્ણ થઇ. વચનગુપ્તિ સંબંધી ચારિત્રાચાર ૨૨૦ વચનગુપ્તિ— વચન પણ સત્ય-અસત્ય આદિ ભેદથી ચાર પ્રકારનું છે અને તેનું સ્વરૂપ પૂર્વે ભાષા સમિતિમાં કહેલું છે. તેની ગુપ્તિ તે વચનવ્રુપ્તિ અને તે વચનગુપ્તિ બે પ્રકારની છે. (૧)મુખ વિકાર, નયન વિકાર, ભૂ વિકાર, માથું ધુણાવવું, હાથની આંગળીઓથી ચપટી વગાડવી, હાથ-પગની આંગળીના ટચાકા વગાડવા વગેરે સંજ્ઞા તથા ઢેફું ફેકવું, ઓડકાર ખાવો, ખાંસી ખાવી, હુંકારો કરવો, થૂક્કાર કરવો, છીંક ખાવી, ઉચ્છ્વાસ લેવો, નિશ્વાસ મૂકવો, લેખન કરવું વગેરે સંકેતના ત્યાગપૂર્વક જે મૌન રહેવું તે પહેલી વચનગુપ્તિ છે. (૨)ભાષા સમિતિની જેમ નિરવઘ(=પાપથી રહિત) આદિ ગુણવાળી વચનની પ્રવૃત્તિ તે બીજી વચનગુપ્તિ છે. વચનગુપ્તિ પૂર્ણ થઇ. કાયુગુપ્તિ સંબંધી ચારિત્રાચાર કાયગુપ્તિ– કાયગુપ્તિ બે પ્રકારની છે. (૧) કાયચેષ્ટા નિવૃત્તિ સ્વરૂપ અને (૨) આગમમાં કહેલી વિવિધ કાયચેષ્ટાના નિયમન સ્વરૂપ. (૧)કાયચેષ્ટા નિવૃત્તિ સ્વરૂપ કાયગુપ્તિ– દેવ વડે કરાયેલા, મનુષ્ય વડે કરાયેલા, તિર્યંચ વડે કરાયેલા તથા થાંભલા વગેરે સાથે અથડાવું, પડવું વગેરે આત્મ સંવેદનીય સ્વરૂપ ચાર પ્રકારના ઉપસર્ગ, પરીષહ આવી પડે છતે પણ ક્ષોભ નહીં પામનારા, ઊભેલા હોય, બેઠેલા હોય અથવા સૂતેલા હોય, લટકતી બે ભુજાવાળા કાયોત્સર્ગથી રહેલા સાધુ ભગવંતની કાયાનો નિશ્ચલભાવ અથવા બીજી રીતે પણ કાયાનો નિશ્ચલભાવ અથવા યોગનિરોધ કરતા સાધુ ભગવંતનો સર્વથા શરીરની ચેષ્ટાનો ત્યાગ તે પહેલી કાયગુપ્તિ છે. (૨)શયનમાં, બેસવામાં, મૂકવામાં, ગ્રહણ કરવામાં, ચાલવામાં, ઊભા રહેવામાં અને ઇન્દ્રિયના વ્યાપાર વગેરેમાં સ્વચ્છંદ વૃત્તિથી અને અવિધિથી કરાતી કાયાની ચેષ્ટાનો ત્યાગ કરવા રૂપ કાયચેષ્ટાનો નિયમ કરવો એ બીજી કાયગુપ્તિ છે.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy