SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ અન્યથા તો બીજાને ઠગવાની બુદ્ધિપૂર્વક ચિંતવવામાં આવે તો તેનો સમાવેશ અસત્યની અંદર થાય અને બીજાને ઠગવાની બુદ્ધિ ન હોય તો તેનો સમાવેશ સત્યની અંદર થાય છે. આવા પ્રકારના મનને ગોપવવું=કાબૂમાં રાખવું તે મનોગુપ્ત છે. અને તે મનોગુપ્તિ ત્રણ પ્રકારની છે. તેમાં (૧) આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનનો અનુબંધ કરાવનારા કલ્પનાસમૂહનો વિયોગ તે પહેલી મનોગુપ્તિ છે. (૨) શાસ્ત્રને અનુસરનારી, પરલોકમાં હિતકારી, ધર્મધ્યાનનો અનુબંધ કરાવનારી, માધ્યસ્થ્ય પરિણામવાળી એ બીજી મનોગુપ્તિ છે. (૩) કુશલ અને અકુશલ મનના વ્યાપારનો નિરોધ કરવા વડે યોગનિરોધ અવસ્થામાં થનારી આત્મ-રમણતા એ ત્રીજી મનોગુપ્તિ છે. જેથી કહ્યું છે કે, ૨૧૮ विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । આત્મારામ મનસ્તî-મૅનોપુસિરુવાતા ॥ ? | (યોગશાસ્ત્ર ૧-૪૬) કલ્પનાઓથી રહિત, સમભાવમાં સ્થિર અને આત્મિક ગુણોમાં રમણતા કરનારા મનને મનોગુપ્તિવાન મહાત્માઓએ મનોગુપ્તિ કહી છે. પહેલી મનોગુપ્તિ– આર્ત્તધ્યાન ચાર પ્રકારનું છે. ૧. અનિષ્ટવિયોગચિંતા– અનિષ્ટ શબ્દ વગેરેનો સર્વકાલ અત્યંત વિયોગ થાઓ એવું ચિંતવવું. ૨. વેદનાવિયોગચિંતા—રોગ વગેરે વેદનાનો સર્વકાલ અત્યંત વિયોગ થાઓ એવું ચિંતવવું. ૩. ઇષ્ટસંયોગચિંતા- ઇષ્ટ શબ્દ વગેરેનો સર્વકાલ અત્યંત સંયોગ થાઓ એવું ચિંતવવું. ૪. નિદાન- દિવ્યભોગ, દિવ્યઋદ્ધિ, રાજય વગેરેની પ્રાપ્તિ થાઓ ઇત્યાદિ નિદાન કરવાનો અધ્યવસાય. રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારનું છે. ૧. હિંસાનુબંધી, ૨. મૃષાનુબંધી, ૩. સ્તેયાનુબંધી, ૪. વિષયસંરક્ષણાનુબંધી. ૧. હિંસાનુબંધી રૌદ્રધ્યાન– અતિશય ક્રોધ આદિના કારણે દ્વેષ કરવા યોગ્ય જીવ ઉપર વધ, વેધ, બંધ, અંકન, હિંસન, નગરભંગ, દેશભંગ આદિનું ચિંતન કરવું. ૨. મૃષાનુબંધી રૌદ્રધ્યાન– ચાડી ખાવી, અસભ્યવચન, જૂઠ, જીવઘાતક વચન વગેરે વચનનું પ્રણિધાન કરવું. ૩. સ્તેયાનુબંધી– બીજાના ધનને હરણ કરવાનું ચિંતન કરવું. ૪. વિષયસંરક્ષણાનુબંધી– શબ્દાદિ વિષયોના સાધનની રક્ષા કરવા માટે અવિશ્વાસના કારણે બધાનો ઉપઘાત કરવો એ જ કલ્યાણકારી છે ઇત્યાદિ દુર્ધ્યાન કરવું. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ત્યાગ સ્વરૂપ પહેલા પ્રકારની મનોગુપ્તિમાં ઋષિએ પણ મનોગુપ્તિનું લક્ષણ સૂચવેલું છે. તે આ પ્રમાણે—
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy