SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર एए चेव दुवालस मत्तय अइरेग चोलपट्टो अ । एसो उ चउदसविहो उवही पुण थेरकप्पंमि ॥ ३ ॥ [ ओघनि. गा. ६७० ] આ જ બાર પ્રકારનો ઉપધિ અને વધારામાં માત્રક અને ચોલપટ્ટો આ ચૌદ પ્રકારનો ઉપધિ સ્થવિર કલ્પમાં હોય છે. ૨૧૩ શ્રી પંચકલ્પમાં જિનો અને પ્રત્યેક બુદ્ધોને આશ્રયી ઉપધિ આ પ્રમાણે કહેલો છે– एगो तित्थयराणं, निक्खममाणाण होइ उवही उ । ते परं निरुवहिआ, जावज्जीवाइ तित्थयरा ॥ १ ॥ [ पञ्चकल्प भाष्य. गा० १४८४ ] નિષ્ક્રમણ કરતા (દીક્ષા લેતા) તીર્થંકરોને દેવેન્દ્રે આપેલું દેવદૃષ્યરૂપ એક ઉપધિ હોય છે. (એ દેવદૃષ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી એક પ્રકારની ઉપધિવાળા હોય છે અને) ત્યાર પછી તીર્થંકરો યાવજ્જીવ સુધી નિરુપધિવાળા (=ઉપધિથી રહિત) હોય છે. सत्त य पडिग्गहंमी, रयहरणं चेव होइ मुहपत्ती । શ્નો ૩ નવવિાળો, વદ્દી પત્તેમયુદ્ધાળું ॥ ૨ ॥[પન્નુન્પ માધ્ય。T૰૨૪૮રૂ ] સાત પ્રકારનો પાત્રનિયેંગ, રજોહરણ અને મુહપત્તિ આ નવ વિકલ્પવાળો=નવ પ્રકારનો ઉપધિ પ્રત્યેક બુદ્ધોને હોય છે. પ્રત્યેકબુદ્ધો દેવતાએ આપેલા લિંગવાળા હોય છે અથવા તો લિંગ રહિત હોય છે. અહીં જિનકલ્પિકોને ઉત્કૃષ્ટ ઉપધિ બાર પ્રકારનો હોય છે અને જઘન્ય ઉપધિ બે પ્રકારનો હોય છે. જેથી શ્રી વિશેષાવશ્યકમાં ( ? પ્રવચનસારોદ્વારમાં) કહ્યું છે કે, जिणकप्पिआय दुविहा, पाणिप्पाया पडिग्गहधरा य । पाउरण पाउरणा, इक्किका ते भवे दुविहा ॥ १॥ दुग तिग चक्क पणगं, नव दस इक्कारसेव बारसगं । एए अट्ठ विगप्पा, जिणकप्पे हुंति उवहिस्स ॥ २॥ જિનકલ્પિકો બે પ્રકારના હોય છે. ૧. પાણિપાત્રી (=કરપાત્રી) અને પતન્ગ્રહને (=પાત્રને) ધારણ કરનારા. વળી તે એક એક બે પ્રકારના હોય છે. પ્રાવરણ (=વસ્ત્ર)વાળા અપ્રાવરણવાળા (=વસ રહિત). અહીં કેટલાક જિનકલ્પિકોને રજોહરણ અને મુહપત્તિ એમ બે પ્રકારની ઉપધિ હોય છે. તો કેટલાક જિનકલ્પિકોને એક કપડાથી સહિત ત્રણ પ્રકારની ઉપધિ હોય છે. કેટલાકને બે કપડાથી સહિત ચાર પ્રકારની ઉપધિ હોય છે,
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy