________________
આચારપ્રદીપ
સર્વે પિંડેષણા સંક્ષેપથી નવકોટિની અંદર અવતરે છે. ન હણે, ન પકાવે, ન ખરીદે, કરાવવું અને અનુમતિથી નવ થાય છે.
૨૧૦
વિશેષાર્થ— સ્વયં હણે નહીં, બીજા પાસે હણાવે નહીં, બીજો કોઇ હણતો હોય તો તેની અનુમોદના ન કરે, સ્વયં પકાવે નહીં, બીજા પાસે પકાવડાવે નહીં અને બીજો કોઇ પકાવતો હોય તો તેની અનુમોદના ન કરે. સ્વયં ખરીદે નહીં, બીજા પાસે ખરીદાવે નહીં, કોઇ ખરીદતું હોય તો તેની અનુમોદના ન કરે. આ નવકોટિ છે.
नव चेवऽट्ठारसगं, सत्तावीसा तहेव चउपण्णा ।
નડું તો સેવ સા, ૩ સત્તરી કુંતિ જોડીનું ારા [ શવના ૨૪રૂ] નવ કોટિના અઢાર, સત્તાવીસ, તથા ચોપન, નેવું અને બસો સીત્તેર ભાંગા થાય છે. रागाई मिच्छाई रागाई समणधम्म नाणाई ।
नव नव सत्तावीसा, नव नउईए य गुणकारा । [ दशवै० नि०गा० २४४]
૯ × રાગાદિ-૨ = ૧૮, ૯ ૪ મિથ્યાત્વાદિ-૩ = ૨૭, ૨૭ ૪ રાગાદિ-૨ = ૫૪, ૯ × શ્રમણધર્મ-૧૦ = ૯૦, ૯૦ x જ્ઞાનાદિ-૩ = ૨૭૦. આ પ્રમાણે ગુણાકાર કરવો. सा नवहा दुह कीरइ, उग्गमकोडी विसोहिकोडी अ ।
ઈસુ પદમા ઓઅરફ, જીગતિયમ્મી વિમોહી ૩ ॥૪॥ [શવૈનિ૨૪૨]
તે નવ પ્રકારની કોટિના બે વિભાગ કરવામાં આવે છે. ઉદ્ગમકોટિ અને વિશોષિકોટિ. તેમાં ઉદ્ગમકોટિનો સમાવેશ પ્રથમની છ (હણવાની ત્રણ અને પકાવવાની ત્રણ) કોટિમાં થાય છે અને વિશોષિકોટિનો સમાવેશ ક્રિતની (=ખરીદવાની) ત્રણ કોટિમાં થાય છે. આ ગાથાઓ દશવૈકાલિકનિયુક્તિની છે
આ નવ કોટિઓમાં પ્રથમની છ ઉદ્ગમકોટિ છે તે અવિશોધિકોટિ છે એ પ્રમાણે અર્થ છે.
વિશેષાર્થ– આ નવ પણ કોટિ કોઇક રાગથી સેવે અને કોઇક દ્વેષથી સેવે આમ નવને બેથી ગુણતાં અઢાર થાય. અથવા તે જ નવ કોટિને કોઇક મિથ્યાર્દષ્ટિ કુશાસની વાસનાથી સેવે, કોઇક સમ્યગ્દષ્ટિ વિરત પણ અનાભોગ આદિના કારણે અજ્ઞાનથી સેવે, અને કોઇક સમ્યગ્દષ્ટિ પણ અવિરતપણાથી સેવે છે. આમ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણથી ગુણતાં સત્તાવીસ ભેદ થાય છે. અહીં રાગ અને દ્વેષની અલગ વિવક્ષા કરવામાં આવી નથી. જ્યારે અલગ વિવક્ષા કરવામાં આવે તો તે સત્તાવીસને