SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ આચારપ્રદીપ , કરાયો. અને જાત્ય સુવર્ણ અને મણિના સમૂહથી ચારે બાજુથી જડાવેલો, સુંદર ચંદન વૃક્ષના લાકડાથી ઘડેલો, ઊંચા અને અખંડ, મણિ અને સુવર્ણના બનાવેલા મહાદંડ ઉપર રહેલી, પવનને અનુકૂળ ફરફર થતી મોટી પાંચેય વર્ણના અતિકોમળ વસ્ત્રથી બનાવેલી અનેક જય પતાકાઓથી અત્યંત શોભી રહેલો, સર્વ અવયવોમાં અતિશય શોભાવાળો અતિમોટો એક શ્રેષ્ઠ રથ બનાવવામાં આવ્યો. અને મહાદેવના ઋષભ જેવા, સર્વ અંગોમાં સંગત શ્રેષ્ઠ સેંકડો લક્ષણને ધારણ કરનારા, ત્રણ ભુવનના જનના મનને વિલાસ કરાવે એવી ગતિવાળા, રણરણ થતી રત્નમય ઘુઘરીઓનો સમૂહ અને ઝલઝલ થતી સોનાની સાંકળો વગેરે સારભૂત અલંકારોથી અલંકૃત થયેલા, અલ્પ દોષથી પણ અકલંક્તિ, જાણે યુગલરૂપે ઉત્પન્ન થયા ન હોય એવા સમાન રૂપવાળા બે વૃષભો સજ્જ કરવામાં આવ્યા. અભંગ અને સુભગ સર્વ અંગોપાંગવાળો, નાશ ન પામે એવા શ્રેષ્ઠ વિશિષ્ટ ધર્મરંગવાળો, પ્રકૃતિથી અતિશય દર્શનીય, સર્વને માનવા યોગ્ય, શ્રેષ્ઠવસ્ત્ર, મુકુટ, કુંડલ, બાજુબંધ, કડાં, હાર, અર્થહાર, મુદ્રિકા, આદિ સઘળાય અલંકારો જેને પહેરાવ્યા છે એવો, અધિક શોભાવાળી પૃથ્વી ઉપર જાણે ઇન્દ્ર મહારાજાનો સારથી અવતર્યો ન હોય એવો, મણિથી જડેલી સુવર્ણની લાકડી જેણે હાથમાં ધારણ કરી છે એવો એક શ્રેષ્ઠ સારથી બોલાવાયો. ત્યાર પછી ત્યાં વિસ્તારવાળો સ્નાત્ર મહોત્સવ આદિ કરવા પૂર્વક સર્વ અંગે દિવ્ય આભૂષણથી શોભતું, સરસ મજાની સુગંધી પુષ્પમાળા વગેરેથી પૂજાયેલું, અસાધારણ, દિવ્યમણિથી બનાવેલું ભગવાનું એક બિંબ (પ્રતિમા) શ્રેષ્ઠ મંદિરમાં જે પ્રમાણે સ્થાપન કરવામાં આવે તે રીતે તે રથમાં સુશ્રાવકોએ મહોત્સવપૂર્વક સ્થાપન કર્યું. ત્યાર પછી સર્વજનને આનંદિત કરનારો, જાણે પૃથ્વીતલ ઉપર અવતરેલો સૂર્યનો રથ ન હોય એવો, મણિ અને સુવર્ણથી આશ્ચર્ય કરનારો પવિત્ર ત્રણ છત્ર, સુંદર ચામર, માલા, ફરકતી જય પતાકા વગેરે મહા આડંબરથી, તંતિ, તાલ, લાલ, ચર્માવનદ્ધ અને મુખ વાજીંત્ર રૂપ પાંચ શબ્દોવાળા વાજીંત્રો વગાડે છતે, સ્વરગત, પદગત, તાલગત, અવધાનગત રૂપ ચાર પ્રકારના મધુર ગીતો ગવાયે છતે, અનેક નટ અને નદીઓના સમૂહો દેવ અને દેવાંગનાના સમૂહોની જેમ નાચે છતે, ભટ્ટના સમૂહ વડે જયજય શબ્દ બોલાયે છતે, બ્રાહ્મણજન વડે વેદ પદો ઉચ્ચારાયે છતે, પ્રબંધ પાઠકો વડે નવા નવા પ્રબંધો પઢાયે છતે, બિરુદ પાઠકો વડે બિરુદાવલિ ભણાવે છતે, પગલે પગલે ઊભા રહેવા માટે માંચડા-મંડપો કરાયે છતે, સર્વત્ર પણ ઇચ્છા મુજબ દાન અપાયે છતે, સાફસુફી કરવી, ચંદનરસના છાંટણા કરવા, પુષ્પનો પગર કરવો, ધજાપતાકા અને તોરણો બાંધવા આદિથી શોભા કરાયે છતે, ત્રણ રસ્તે, ચાર રસ્તે, ઘણા રસ્તા ભેગા થતાં હોય ત્યાં, ચઉમુખ, રાજમાર્ગવગેરે માર્ગો ઉપર ચતુર્વિધ શ્રમણ સંઘની સાથે મહિમાપૂર્વક તે રથ જમાડવામાં આવે છે ફેરવવામાં આવે છે.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy