SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ આચારપ્રદીપ અહીં શ્લોકો છે– सयणा जं न पिच्छंति, जं न पिच्छंति दुज्जणा । महईवि हु सा रिद्धि, रन्नजा इव किंफला ? ॥ १॥ જે ઋદ્ધિને સ્વજનો જોતા નથી અને જે ઋદ્ધિને દુર્જનો પણ જોતા નથી તેવી ઋદ્ધિ ઘણી હોય તો પણ અરણ્યમાં ઉત્પન્ન થયેલાની જેમ શું ફળવાળી છે? અર્થાત્ અરણ્યમાં ઉત્પન્ન થયેલું ફળ કોઈના ઉપયોગમાં આવતું ન હોવાથી નિષ્ફળ છે એવી રીતે આવી ઋદ્ધિ પણ નિષ્ફળ છે. કહ્યું પણ છે કે, તાનો મોકાવસ્થા યા, સુદ્ધિ મુક્યા पुंसां हि यदि सा लक्ष्मीरलक्ष्मीः कतमा भवेत् ? ॥१॥ જે લક્ષ્મી દાન અને ઉપભોગથી રહિત છે અર્થાતુ જે લક્ષ્મી દાનમાં અપાતી નથી અને ઉપભોગમાં પણ આવતી નથી અને જે લક્ષ્મી મિત્રો વડે ભોગવાતી નથી. પુરુષોની એવી પણ લક્ષ્મીને લક્ષ્મી કહેશું તો પછી અલક્ષ્મી કઈ થશે? અર્થાત્ અલક્ષ્મી કોને કહેશું? ક્રમ કરીને તે કુમાર મણિમંદિરનગરના નજીકના સુંદર, ઉદ્યાનમાં આવ્યો અને ત્યાં પ્રશસ્ત આડંબરથી પોતાના ખેચર સૈન્યને આવાસિત કર્યું. અર્થાત્ છાવણી નાખી. અને તે જાણે નવું વસાવેલુ ખેચર નગર ન હોય તેમ શોભે છે. અને આ બાજુ અતિ ઉલ્લસિત હર્ષવાળા કોઈક ચરપુરુષે પુત્રના વિરહથી દુઃખી થયેલા અરુણદેવના પિતાને અરુણદેવ કુમારના આગમનનું નિવેદન કરવા દ્વારા વધામણી આપી. વધામણી આપનારને ઇચ્છિત પ્રીતિદાન આપવાપૂર્વક મોટા સર્વ આડંબરથી તત્કણે જ તે પણ પુત્ર સન્મુખ ચાલ્યો. કારણ કે, आचारः कुलमाख्याति, वपुराख्याति भोजनम् । सम्भ्रमः स्नेहमाख्याति, देशमाख्याति भाषितम् ॥१॥ આચરણ કુલને જણાવે છે, શરીર ભોજનને જણાવે છે, સંભ્રમ સ્નેહને જણાવે છે અને ભાષા દેશને જણાવે છે. સંપૂર્ણ ચંદ્રના અર્થાતુ પૂર્ણિમાના ચંદ્રના દર્શનથી ઉલ્લસિત થતા સમુદ્રની જેમ અતિવિશિષ્ટ તેવા પ્રકારના આડંબરવાળા તે કુમારને જોયે છતે પિતાને જે વિસ્મયથી . હર્ષનો પ્રકર્ષ થયો તે હર્ષના પ્રકર્ષના પ્રમાણને ઉપમાથી વર્ણન કરવામાં ત્રણ ભુવન પણ
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy