SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ આચારપ્રદીપ શુદ્ધિ કરાવવી, માન-ઉન્માનને વધારવું, સધવા સ્ત્રીઓ=સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા સમાર્જન કરાવવું, ચંદનના રસથી સિંચન કરવું, પુષ્પનો પગર ભરાવવો, અસાધારણ ધૂપને ઉખેવવો, અનેક ગીત, વાજીંત્ર, નૃત્ય, તોરણ, પતાકા આદિ રચાવવા, મનોવાંછિત દ્રવ્ય આપવું, દંડ, કર ગ્રહણ આદિ માગવાનો નિષેધ કરવો, નગરના લોકોએ વધામણીમાં લાવેલા દાનને લાખો ગણું કરવાપૂર્વક પાછું આપવું વગેરે પ્રકારથી આનંદિત અને ક્રીડાવાળો કરાયો છે જનપદ જેમાં એવો નિરંતર દશ દિવસનો પુત્રજન્મનો નવો ઉત્સવ કરાવે છે. ત્યાર પછી સર્વ પોતાની જ્ઞાતિ, સ્વજન, પરિજનનું સ્નાન, ભોજન, પ્રશસ્ત વસ્ત્ર વગેરેથી સત્કાર, સન્માન કરવા પૂર્વક માતાને આવેલા સ્વપ્રને અનુરૂપ ‘અરુણદેવ’ એ પ્રમાણે પુત્રનું નામ સ્થાપન કરે છે. જેવી રીતે પાંચ પાંચ ભાવનાઓથી મહાવ્રતરૂપ ધર્મનું પાલન કરાય તે રીતે ખીરધાત્રી=સ્તનપાન કરાવનારી, મજ્જનધાત્રી=નવરાવનારી, મંડનધાત્રી=આભૂષણ પહેરાવનારી, ક્રીડનધાત્રી=રમાડનારી, ઉત્સંગધાત્રી=ખોળામાં બેસાડનારી રૂપ પાંચ ધાત્રીઓથી દરરોજ પરિપાલન કરાતો તે કુમાર ચક્રવર્તીના કુમારની જેમ ક્રમે કરીને વધતો સાત-આઠ વર્ષનો થયો. અહીં ગાથાઓ— વિદ્યા સુખેથી પ્રાપ્ત થતી નથી એવો જે જનપ્રવાહ (કલંક) હતો તેનો જાણે નાશ કરવા માટે ન હોય તેમ તેણે અગસ્તીઋષિ જેવી રીતે સમુદ્રનું પાન કરી ગયા તેવી રીતે વિદ્યાશાસ્ત્રને લીલાથી ગ્રહણ કરી લીધું. કેલિકલાપની જેમ તેનો કલાકલાપ અનુપમ હતો. રાત્રીમાં સ્થાપન કરેલા દીવડાઓની જેમ યોગ્ય સ્થાને સ્થાપન કરેલા ગુણો મહામૂલ્યવાન થાય છે. ત્યાર પછી શ્રેષ્ઠ પુરુષ એવો તે મનમાં કામને ઉત્પન્ન થવાના ભવન સમાન અને વિંધ્યાચલના વન સમાન નવા યૌવનને પામ્યો. છતાં પણ ચિત્તમાં જરા પણ ઉન્મત્ત ન થયો. તેનું રૂપ અસાધારણ હતું. તેનું સૌભાગ્ય દેવોના સૌભાગ્યને દૌર્ભાગ્ય કરનારું હતું. અર્થાત્ દેવોના સૌભાગ્ય કરતા પણ ચડિયાતું હતું. તેનું બલ અતિવિપુલ હતું. તેનું તેજ સૂર્ય જેવું હતું. પૂર્વના પ્રેમથી પૂર્વના દેવભવથી તેનામાં રૂપાદિ ગુણો આવેલા હતા. જો તેમ ન હોય તો અર્થાત્ પૂર્વના દેવભવથી રૂપાદિ ગુણો ન આવેલા હોય તો તેવા પ્રકારના રૂપાદિ ગુણો તેને કેવી રીતે પ્રાપ્ત થયા ? કોઇક વખત મિત્ર વગેરેની સાથે તે કુમાર સુંદર ઉદ્યાનમાં પહોંચ્યો. ઘણા પ્રકારના મોટા કુતૂહલના રસમાં આસક્ત થયેલો જેટલામાં તે એકલો જ કંઇક દૂર જાય છે તેટલામાં ચકિત થયેલા હરણના બચ્ચા જેવી આંખવાળી, પૂનમના ચંદ્રના ગર્વના સર્વસ્વને હરનારા મનોહર મુખવાળી, દેવાંગનાઓને જેણીએ કરુણા આપી છે એવી, અભિનવ સુંદર તારુણ્યવાળી, પુણ્યલાવણ્યવાળી, પ્રશંસનીય સુંદર શરીરની કાંતિવાળી, તરુણોને અભિનવ ઉન્માદ કરનારી, યુવતિજનના મનને લોભાવનારા કનકમણિમય હિંડોળા ઉપર હિંચકા
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy