SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ આચારપ્રદીપ વ્રત કરવું તને ઉચિત છે. અને તે દિવ્રતના પરિણામ સ્વરૂપ છે અથવા તો સર્વવ્રતોને સંક્ષેપ કરવા સ્વરૂપ છે. વિવેકવાળાએ પોતાની શક્તિ અનુરૂપ વારંવાર કરવા યોગ્ય છે. તે દેશાવગાસિકવ્રત સામાયિક રહિત અને સામાયિક સહિત એમ બે પ્રકારનું છે. તેમાં શક્તિ પ્રમાણે દિવસનું કે રાત્રીનું સામાયિક રહિત પણ દેશાવગાસિકવ્રત કરે છતે નિયમિતસ્થાન આદિથી પર ત્રણલોકની મધ્યમાં રહેલા સર્વ સૂક્ષ્મ અને બાદર જીવને અભયદાન આદિ આપવા સ્વરૂપ મહાફળવાળું જાણવું. જ્યારે સામાયિક સહિતનું દેશાવગાસિકવ્રત મનથી પણ સાવદ્ય (=પાપરૂપ) પ્રવૃત્તિનો ત્યાગ કરવા વડે ચારિત્રધર્મ સમાન જલદીથી પણ પરમ નિશ્રેયસ ( મોક્ષ) સુખનું કારણ છે એમ જાણવું. ઈત્યાદિ વચનોથી પ્રતિબોધ પામેલો સંપૂર્ણ ફળનો અભિલાષી તે વાનર દરરોજ સામાયિક સહિત દેશાવગાસિકવ્રતને ગ્રહણ કરવાનો અભિગ્રહ ગ્રહણ કરે છે અને જન્મથી જ નિર્ધનને જેવી રીતે મહાનિધાનનો લાભ થઈ જાય અને પોતાને કૃતાર્થ માને તેમ તિર્યચપણામાં પણ સારી રીતે ધર્મનો લાભ થવાથી તે પોતાને કૃતાર્થ માને છે. ત્યારપછી તે સુવિહિત સાધુ ભગવંતે તેની પ્રશંસા કરીને અને ધર્મમાં તેને સ્થિર કરીને ત્યાંથી વિહાર કર્યો. ક્રમે કરીને સમેતશિખર ઉપર તે મુનિઓને ભેગા થયા અને તે વાનર તે જ દિવસે રાત્રીએ ગિરિશિખર ઉપર જઇને અન્ય જૂથની જેમ પોતાના જૂથને દૂરથી ત્યાગ કરીને, નિર્દોષ ભૂમિમાં સામાયિક સહિત દેશાવગાસિકવ્રતનો સ્વીકાર કરે છે. અને યોગીશ્વરની જેમ શુભધ્યાનમાં એક ચિત્તવાળો મનથી પણ સાવદ્ય યોગનો ત્યાગ કરે છે. એટલી વારમાં પહોળા કરેલા અતિવિકરાળ મુખવાળો અને ઉલ્લાલિત=લબકારા મારતી જીભવાળો જાણે મૂર્તિમાન દુર્દીત યમરાજ ન હોય તેવો એક સિંહ તે પ્રદેશમાં આવ્યો. તેવા પ્રકારના તે સિંહને પોતાની દૃષ્ટિથી જોવા છતાં પણ વિશિષ્ટ પોતાના નિયમમાં જ એક સાપેક્ષ અને પોતાના દેહમાં પણ નિરપેક્ષ મહાસાહસિક સુવિહિત સાધુની જેમ કાયાથી અને મનથી પણ નિયમિત કરેલા પોતાના સ્થાનથી ચલાયમાન થતો નથી. અહીં કાવ્યો છે– ખરેખર ! આ મોટું આશ્ચર્ય છે કે સ્વભાવથી તે ભયથી ધ્રુજતો હોવા છતાં પણ તેવા પ્રકારના મહાન ઉપસર્ગમાં પણ મનથી ધ્રુજારી વિનાનો થયો. કેટલાક લજ્જાથી તૈયાર થયેલા અથવા યશના અર્થીઓ અથવા ધનના અર્થીઓ અથવા અભિમાની પુરુષો અત્યંત દુષ્કર પણ કાર્ય કરે છે, પરંતુ તિર્યંચ એવા તેણે આવું કાર્ય કર્યું એ અપૂર્વ છે. અથવા જળથી મુંજની દોર જેમ દઢપણાને પામે છે તેમ જે જીવો ભાવથી દઢપણાને પામેલા છે તે જીવો દુઃખે કરી સાધી શકાય એવા પણ કાર્યને સાધે છે. કારણ કે જીવ જે વિચારે છે તે કરે છે. કહ્યું છે કે,
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy