SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રકાશ-દર્શનાચાર હોય તેમ ગુડશસ્રનગરમાંથી ત્યાં આવેલા વૃદ્ધકર નામના આચાર્યને પણ ભુવન મુનિએ જીતી લીધો. લજ્જા પામેલો, અનશન કરીને મરેલો તે ગુડશસ્રનગરમાં યક્ષ થયો. વ્યાધિ ઉત્પન્ન કરવી, ધનનું હરણ કરવું વગેરેથી તેણે સંઘને ઉપદ્રવ કર્યો. તેથી સંઘ વડે બોલાવાયેલા આચાર્ય ભગવંતે યક્ષના બંને કાનમાં જોડા બાંધીને હૃદય (છાતી) ઉપર પગ મૂકીને કપડું ઓઢીને સૂતા. તે વૃત્તાંત સાંભળીને ત્યાં આવેલો રાજા જ્યાં જ્યાં કપડાને દૂર તે કરે છે ત્યાં ત્યાં બે નિતંબ (=કુલા) જ જુવે છે. તેથી ગુસ્સે થયેલો રાજા તેના શરીરમાં પ્રહારો મરાવે છે. પરંતુ તે પ્રહારો તો અંતઃપુરની સ્ત્રીઓના શરીર ઉ૫ર લાગે છે. અને તેણીઓનો બૂમો પાડીને રડવાનો ઘણો અવાજ આવે છતે ભયભીત થયેલા રાજાએ સૂરિની ક્ષમા માગી. અને યક્ષ પણ સૂરિના પગ દબાવતો હું તમારો ભક્ત છું એ પ્રમાણે કહ્યું અને ગુરુ ભગવંત ચૈત્યમાંથી બહાર નીકળે છતે યક્ષ વગેરે અને પથ્થરની મોટી બે કુંડી ગુરુ ભગવંતની સાથે ચાલી. રાજાની વિનંતિથી યક્ષ વગેરેને છોડી દીધા અને તેઓ પોતપોતાના સ્થાને ગયા. પણ બે કુંડીને તો પ્રસિદ્ધિ માટે રાજમાર્ગ ઉપર સ્થાપિત કરી. રાજા વગેરેને શ્રાવક બનાવવા દ્વારા શ્રી જિનશાસનના સામ્રાજ્યને એક છત્ર કર્યું. ૧૫૯ એક વખત ભરુચમાં એક ક્ષુલ્લક સાધુ (=નવદીક્ષિત સાધુ) ગુપ્ત રીતે છૂપાવીને રાખેલા પુસ્તકના પાનાને વાંચી આકર્ષણ વિદ્યાને મેળવીને તે આકર્ષણ વિદ્યાથી શ્વેત વસ્ત્રથી ઢાંકેલા પાત્રાઓને ગૃહસ્થોના ઘરે મોકલી ઇચ્છિત મિષ્ટાન્નથી ભરેલા તે પાત્રોને આકાશ માર્ગે લાવીને ભોજન કરે છે. તેથી ગચ્છ અને સંઘ વડે તર્જના કરાયેલો તે બૌદ્ધને મળી ગયો. અને તેણે બૌદ્ધોનો મહિમા વધાર્યો. સંઘ વડે મોકલાવાયેલા સાધુના મુખેથી તે વૃત્તાંત જાણીને છૂપી રીતે શ્રીગુરુ (=આર્યખપુટાચાર્ય) ત્યાં આવ્યા. આકાશમાં શિલા વિકુર્તીને ભરેલા આવતા પાત્રોને ભાંગી નાખ્યા. તેથી ગુરુના આગમનને જાણીને ક્ષુલ્લક ક્યાંક ભાગી ગયો. અને આચાર્ય ભગવંત સંઘ સાથે બુદ્ધના મંદિરમાં આવ્યા. પથ્થરની પ્રતિમારૂપ બુદ્ધદેવ સામે આવીને ગુરુને પગે લાગ્યો અને ગુરુની સ્તુતિ કરી. આ પ્રમાણે ત્યાં જિનશાસનની પ્રભાવના થઇ. આ બાજુ પાટલીપુત્ર નગરમાં દાહડ રાજા બ્રાહ્મણનો ભક્ત હતો. તેણે સર્વદર્શનીઓને બળાત્કારે બ્રાહ્મણોને પ્રણામ કરાવ્યા. જૈનોને દૃઢ રીતે તે પ્રમાણે કહે છતે અર્થાત્ તમે બ્રાહ્મણોને પ્રણામ કરો એ પ્રમાણે કહે છતે ‘અશુભનું કાલહરણ કરવું જોઇએ’ અર્થાત્ અશુભ કાર્યમાં વિલંબ કરવો જોઇએ એ રીતે જૈનોએ સાત દિવસની મુદત માંગી. ત્યારે શ્રી આર્યખપુટાચાર્યના શિષ્ય શ્રી મહેન્દ્ર ઉપાધ્યાય નજીકના ગામમાં આવેલ હતા. તેમને બોલાવીને જૈનોએ વિનંતી કરતા તેઓ લાલ અને ધોળી એમ બે સોટી લઇને સર્વ સાધુ ભગવંતોની સાથે રાજાની સભામાં આવ્યા. જેની બંને બાજુ બ્રાહ્મણો બેઠા છે એવા
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy