________________
આચારપ્રદીપ
હે દેવ ! ઇચ્છિત કાર્યને સાધનારા કામકુંભની જેમ ભાગ્યના વશથી પ્રાપ્ત થયેલા આવા પ્રકારના કલાપાત્રને કયો બુદ્ધિશાળી ગુસ્સાથી ફોગટ નાશ કરે ? કારણ કે કલાવાળાઓ સર્વસાધારણ વૃત્તિવાળા હોય છે. ગુણપ્રધાન એવા તેઓ વિષે ચાડિયા માણસોની જેમ આ મારો છે અને આ પારકો છે એવી વિચારણા કરવી એ ઉચિતપણાને પામતી નથી.
૧૩૨
सर्वेषां बहुमानार्हः, कलावान् स्वः परोऽपि वा । विशिष्य च महेशस्य, महीयोमहिमाप्तिकृत् ॥ १ ॥
મહાન મહિમાની પ્રાપ્તિ કરનારો કલાવાન પોતાનો હોય કે પારકો હોય પણ એ બધાને બહુમાનને યોગ્ય છે. વિશેષ કરીને રાજાઓને બહુમાન કરવા યોગ્ય છે. अमृतहिमात्मकरेण हि कलावतैवौषधीप्रियतमेन ।
विषवह्निविषधरानपि धरन् हरः परसुखः सततम् ॥ २ ॥
વિષ, અગ્નિ અને વિષધરો (સર્પો)ને ધારણ કરતો હોવા છતાં પણ હરિ (મહાદેવ) અમૃત અને હિમસ્વરૂપ કિરણોવાળા અને ઔષધિના પ્રિયતમ એવા કલાવાન (ચંદ્ર)ના કારણે સતત બીજાને સુખ આપનારો થયો.
તેથી આવા પ્રકારના કલાવાનને બહુમાનપૂર્વક પોતાની પાસે તે રીતે રાખવો જોઇએ કે જેથી તેણે કરેલી કલાના અતિશયથી બીજા ગ્રહો કરતા ગ્રહપતિ=ચંદ્રના તેજની જેમ આપનું તેજ બીજા રાજાઓ કરતા અતિઘણા અતિશયપણાને પામે. આ પ્રમાણે નગરના લોકોથી બોધ પમાડાયેલા રાજાએ પોતાના પુરુષો દ્વારા કોમળવૃત્તિથી કોકાશને પોતાની પાસે લવડાવીને કહ્યું: અહો વૈજ્ઞાનિકપ્રધાન ! વિદ્વાનોને આનંદ કરાવનારા ચમત્કારના ભંડાર એવા કયા કયા વિજ્ઞાનને તું જાણે છે ? તેણે પણ કહ્યું કે, હે દેવ ! વિશ્વકર્માની જેમ સંપૂર્ણ વિશેષોથી યુક્ત સંપૂર્ણ પણ સુથારના વિજ્ઞાનને હું જાણું છું. ત્યાર પછી પૃથ્વીના ઇન્દ્રે=રાજાએ જણાવ્યું કે, તો પછી.હે કલાકુશલ ! કમલાકર નામનું મારે યોગ્ય મહેલ બનાવ. અને સો પાંદડીવાળા તે મહેલમાં કર્ણિકાના સ્થાને મારે યોગ્ય ભવન બનાવ, અને સો પાંદડી ઉપર મારા સો પુત્રને યોગ્ય પોતાની અસાધારણ શોભાથી દેવોના ભવનોને જીતી લે એવા ભવનો બનાવ. અને તેમાં તેવો કંઇક કલાનો અતિશય બતાવ કે જેથી ત્રણેય જગતમાં મારી અસાધારણ ભવનની સમૃદ્ધિ થાય. આપનો આદેશ પ્રમાણ છે એ પ્રમાણે બોલતા કોકાશને નિયંત્રણ આદિ પરવશતાને દૂર કરીને સન્માનપૂર્વક મહેલને યોગ્ય લાકડા લાવવા આદિ માટે રાજાએ આદેશ કર્યો. ત્યાર પછી ઉત્પન્ન થઇ છે જીવવાની આશા જેને એવો, કંઇક ગૂઢ આશયવાળો, કલિંગ રાજા વડે આદેશ કરાયેલાં મહેલને બનાવવા માટે પ્રયત્ન કરનારો, પ્રમાણને ઓળંગી ગયેલી તીવ્ર ઉત્કંઠાથી કાકજંઘ