________________
૧૧૪
આચારપ્રદીપ
યોદ્ધાઓની, ઢાલ વગેરે આવરણોની અને તલવાર વગેરે પ્રહરણોની ઉત્પત્તિ તથા ન્યૂહરચના આદિ સ્વરૂપ સર્વે પણ યુદ્ધનીતિ અને સામ, દામ આદિ ચારે પ્રકારની દંડનીતિ માણવક નામના નિધિમાં કહી છે.
नट्टविही नाडयविही, कव्वस्स चउव्विहस्स निप्फत्ती।
સંણે મહાનિિિમ ગ, ડિમાઈ સ . ૨૨ [ ૧રર૭] નૃત્યવિધિ, નાટકવિધિ, ધર્મ-અર્થ-કામ અને મોક્ષ રૂપ ચાર પુરુષાર્થની ગૂંથણીરૂપ ચાર પ્રકારના કાવ્યો અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણરૂપ ચાર ભાષામાં ગૂંથાયેલા ચાર પ્રકારના કાવ્યો અથવા ગદ્ય, પદ્ય, ગેય અને ચૌર્ણપદ બદ્ધ ચાર પ્રકારના કાવ્યોની નિષ્પત્તિ અને સર્વ પ્રકારના વાજીંત્રોની ઉત્પત્તિ શંખ નામના નિધિમાં કહી છે. . .
चक्कट्ठपइट्ठाणा, अट्ठस्सेहा य नव य विक्खंभे ।
વાર વીરા મંજૂસાહિમ નવી મુદે . ૨૩ I [r-૨૨૨૮] નવે નિધિઓ આઠ ચક્ર=પૈડા ઉપર રહેલી છે, આઠ યોજન ઊંચી છે, નવ યોજન પહોળી છે, બાર યોજન લાંબી છે, મંજુષા એટલે પેટી સંસ્થાને આકારે રહેલી છે અને ગંગા નદીના મુખ આગળ રહેલી છે.
वेरुलिअमणिकवाडा, कणगमया विविहरयणपडिपुन्ना ।
ससिसूरचक्कलक्खण-अणुसमवयणोववत्तीया ॥ १४ ॥[गा.१२२९ ] નવે નિધિઓ વૈડૂર્યમણિમય કપાટવાળી છે. સોનાના વિવિધ રત્નોથી પરિપૂર્ણ છે. ચંદ્ર, સૂર્ય, ચક્રના ચિહ્નવાળી છે. સરખા દરવાજાવાળી છે.
पलिओवमट्टिईआ, निहिसरिनामा य तत्थ खलु देवा ।
ને તે માવાલા, મહિલા મહિવત્રા ય . ૨૫ [૨૨૩૦]
એક પલ્યોપમના આયુષ્યવાળા અને નિધિના નામ સરખા નામવાળા જે દેવો છે તે દેવોનું આ નિધિઓ આવાસ છે, વળી આ નિધિઓ આધિપત્ય માટે ખરીદી શકાય તેમ નથી. અર્થાત્ નિધિને ખરીદી તેની માલિકી કરી શકાતી નથી.
આ પંદર ગાથાઓ બતાવી તેની ક્રમે કરી કંઇક વ્યાખ્યા કરાય છે– નૈસર્પ આદિ નવે નિધિઓમાં આચારના શાશ્વત પુસ્તકો છે. અને તે પુસ્તકોમાં વિશ્વની સ્થિતિ કહેવાઈ . છે. તેમાં જે નિધિમાં જે કહેવાયું છે તે કહે છે– ગાથા-૨ માં દશ હજાર કુલનો એક ગામ