________________
૧૧૨
ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન
પ્રાયઃ બધી રીતે નિપુણ એવા તેણે પણ જવાબ આપ્યો કે, હે રાજાઓના ચક્રિ! વિશ્વમાં અસાધારણ એવી ચક્રવર્તીની ઋદ્ધિના સ્વરૂપને સાંભળો. તે આ પ્રમાણે—– ચક્રવર્તીને છ ખંડવાળું ભરત ક્ષેત્ર, નવ નિધાનો અને ચૌદ રત્નો હોય છે. તેમાં નવનિધાનોનું સ્વરૂપ પ્રવચન સારોદ્વારની ગાથાઓથી બતાવાય છે. તે ગાથાઓ આ છે–
આચારપ્રદીપ
सप्पे १ पंडुअए २, पिंगलए ३ सव्वरयण ४ महापउमे ५ । काले अ ६ महाकाले ७, माणवग ८ महानिही संखे ९ ॥ ९ ॥ [ गा० १२१८ ]
૧. નૈસર્પ, ૨. પાંડુક, ૩. પિંગલક, ૪. સર્વરત્ન, ૫. મહાપદ્મ, ૬. કાલ, ૭. મહાકાલ, ૮. માણવક, ૯. શંખ - આ નવ મહાનિધિઓ છે.
सप्पंम निवेसा, गामागरनगरपट्टणाणं च । दोणमुहमडंबाणं खंधाराणं गिहाणं च ॥ २ ॥ [ गा० १२१९ ]
નૈસર્પ નામના નિધિમાં ગામ, ખાણ, નગર, પત્તન, દ્રોણમુખ, મડંબ, સ્કંધાવાર એટલે છાવણી અને ઘરોની સ્થાપનાની વિધિ કહી છે.
गणिअस्य गीआणं, माणुम्माणस्स जं पमाणं. चं ।
धन्नस्स य बीयाणं, उप्पत्ती पंडुए भणिआ ॥ ३ ॥ [ गा० १२२० ]
પાંડુકનિધિમાં ગણિતની, ગીતોની, માન-ઉન્માનનું પ્રમાણ અને ધાન્યના બીજોની ઉત્પત્તિ કહી છે.
सव्वा आहरणविही, पुरिसाणं जा य जा य महिलाणं । आसाणं हत्थीणं, पिंगलयनिर्हिमि सा भणिआ ॥ ४ ॥ [ गा० १२२१ ]
પુરુષોની, સ્ત્રીઓની, ઘોડાઓની અને હાથીઓની જે જે આભરણ વિધિ છે તે પિંગલ નામના મહાનિધિમાં કહી છે.
रयणाइं सव्वरयणंमि, चउदस पवराइं चक्कवट्टीणं ।
उप्पज्जंती एगिंदिआई पंचिंदिआई च ॥ ५ ॥ [ गा० १२२२ ]
સર્વ રત્નોમાં ચક્રવર્તીના ચૌદ રત્નો શ્રેષ્ઠ હોય છે. તેમાં (સાત) એકેન્દ્રિય અને (સાત) પંચેન્દ્રિય રત્નોની ઉત્પત્તિ સર્વરત્ન નામના નિધિમાં કહી છે.