SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ તેલ શરીરની અંદર ઉતારે છે અને તે બધું તેલ ફરી બહાર કાઢે છે અને અલ્પ પણ દુઃખ ઉત્પન્ન કરતો નથી. પરંતુ અધિક સુખને જ ઉત્પન્ન કરે છે. ૧૦૦ ભાંડાગારિક=ભંડારી કોઇ પણ તેવા પ્રકારની તિજોરી=ભંડારની રચના કરે છે કે તે ભંડારના દ્વારને તેના વિના બીજો કોઇ પણ કોઇ રીતે પણ મેળવી ન શકે. તેમાં ખાતર પાડવા માટે પણ કોઇ સમર્થ ન થાય. ભંડારની અંદર પ્રવેશેલો પણ સૂક્ષ્મ વસ્તુને જોનારો પણ અર્થાત્ તેજસ્વી આંખવાળો પણ તેના બતાવ્યા વિના ધન, સુવર્ણ આદિ કંઇ પણ જોઇ શકતો નથી. આ રીતે તે ભંડારને સુરક્ષિત કરે છે. સ્વામીની ઇચ્છા મુજબ અહર્નિશ=રાત-દિવસ કરેલો છે પ્રયત્ન જેઓએ, ચારેય દિશામાંથી જાણે એક એક ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું ન હોય એવા ચાર પુરુષ રત્નોથી ચિંતિત કાર્યનો સમૂહ જેનો પુરાઈ રહ્યો છે એવા ધર્મવિધિમાં ઉલ્લાસવાળી બુદ્ધિવાળા તે વિચારધવલ રાજાએ ઘણા દિવસો સુખેથી પસાર કર્યા. પરંતુ યથાયોગ્ય ઘણા ઉપાયો કરવા છતાં પણ પૂર્વના દુર્ભાગ્યના કારણે તેની એક પણ રાણીને પુત્ર ન થયો. मात्सर्यादिव दैवं, प्रायः सर्वस्य किञ्चिदूनत्वम् । कुरुते कुतोऽन्यथाऽब्धिः क्षारश्चन्द्रः कलङ्की च ॥ १ ॥ માત્સર્યથી જ દૈવ સર્વ જીવને કંઇક ન્યૂનતા કરે છે. જો એમ ન હોય તો સમુદ્ર ક્ષારવાળો કેમ કર્યો ? અને ચંદ્ર કલંકવાળો કેમ કર્યો ? તેથી વૈરાગ્યચિત્તવાળો, દીક્ષા લેવાની ઇચ્છાવાળો તે રાજા જેટલામાં કોઈક ગોત્રીને રાજ્ય આપવાની ઇચ્છા કરે છે તેટલામાં પૂર્વે વર્ણવેલા ચાર પુરુષ રત્ન આદિ અપૂર્વ સમૃદ્ધિમાં લુબ્ધ બનેલા, ‘વીમોખ્યા વસુન્દર' પૃથ્વી વી૨પુરુષોથી ભોગવાય છે એ પ્રમાણે વિર્તક કરતા પાટલિપુત્ર નગરના અધિપતિ જિતશત્રુ રાજાએ ગંગાના પૂરની જેમ ચારે બાજુ ફેલાતા પોતાના સૈન્ય સાથે એકાએક જ આવીને ઉજ્જયની નગરી ઘેરી લીધી. અને જેટલામાં નગરની અંદર રહેલા સુભટો તૈયાર થઇને યુદ્ધ કરે છે તેટલામાં તો દુર્ભાગ્યના વશથી વિચારધવલ રાજાને અનર્થના મૂળવાળું અર્થાત્ અનર્થ કરનારું જઠરમાં મહાશૂળ ઉત્પન્ન થયું. અને તેથી બળ્યા ઉપર થયેલા અસહ્ય ફોડલાની જેમ રાજા અતિશય પીડા પામ્યો. અધધ ! મોટા માણસોને પણ ન કહી શકાય એવી ખરાબ અવસ્થાની પ્રાપ્તિ થાય છે. અથવા તો અભાગિયા ભાગ્યનો આ સ્વભાવ જ છે. કારણ કે– वैदेहीदयितेऽपि दुष्टहृदयः पार्थेऽप्यनर्थप्रदो, . जीमूतेऽपि यथोचितव्यवहतिः कर्णेऽपि कर्णेजपः ।
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy